SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : કરેલ કર્મોને વેદત નથી, તેનું નિર્વાણ-મેલ નથી અને મોક્ષને ઉપાય નથી, એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાન છે.” આત્મા છે, તે અવિનાશી છે, તે (વિવિધ) કર્મ કરે છે, તે તેનું ફળ અનુભવે છે, તેને નિર્વાણ (મોક્ષ) છે અને મોક્ષને ઉપાય છે. એ છ મતે યથાર્થ જ્ઞાનનાં સ્થાને છે.” ભાવાર્થ –આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષના આગ્રહો એક કે બીજી રીતે આડે આવે છે અને જે આગ્રહે તેમાં સહાયક થાય છે તે બન્ને પ્રકારના આગહેનું અહીં કથન છે. સાધનમાં બાધક થનારા આગ્રહ બ્રાન્ત દષ્ટિ ઉપર રચાયેલા હાઈ અયથાર્થ અને અભ્રાત દષ્ટિ ઉપર રચાયેલા સહાયક આગ્રહ યથાર્થ છે. ૧. એમ માનવું કે આત્મા જેવું કઈ તત્ત્વ જ નથી તે અનાત્મવાદ, ૨. એમ માનવું કે આત્મતત્વ છે તે ખરું પણ તે નિત્ય ન હાઈ વિનાશી છે તે ક્ષણિકાત્મવાદ, ૩. એમ માનવું કે આત્મા છે તો નિત્ય પણ તે ફૂટસ્થ હાઈ કશું કર્તવ નથી ધરાવતે તે અકત્વવાદ, ૪. એમ માનવું કે આત્મા કંઈ કરે છે ખરે પણ તે ક્ષણિક હેઈ અગર નિલેપ હાઈ વિપાક અનુભવતા નથી તે અભતૃત્વવાદ, ૫. એમ માનવું કે આત્મા હમેશાં જ કર્તા અને ભક્તા રહેતા હોવાથી તેના સ્વરૂપની પેઠે રાગદ્વેષાદિ દોનો અંત જ નથી આવતો તે અનિવણુવાદ, ૬. એમ માનવું કે સ્વભાવથી આત્મા ક્યારેક મેક્ષ પામે છે પણ તેને મેળવવાને બીજે કશે જ ઉપાય નથી તે અનુપાયવાદ
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy