SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૬૩ ] અનેકાન્તવાદનું સ્વરૂપ. કારણ વિષયક વાદનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમયથાર્થપણું. ” કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત-અદષ્ટ અને પુરુષવાદી કારણ વિષેના એકાન્તવાદે અયથાર્થ છે અને તે જ વાદ સમાસથી પરસ્પર સાપેક્ષપણે મળવાથી યથાર્થ છે. . ભાવાર્થ –કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતે છે તેમાંથી અહીં પાંચ કારણવાદનો ઉલ્લેખ છે. કેઈ કાળવાદી છે જેઓ ફક્ત કાળને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જુદાં જુદાં ફળો વરસાદ, શરદી, ગરમી વિગેરે બધું જતુભેદને જ આભારી છે અને ઋતભેદ એટલે કાળવિશેષ કેઈ સ્વભાવવાદી છે જેઓ સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે પશુઓનું સ્થળગામીપણું, પક્ષીઓનું ગગનગામીપણું અને ફળનું કમળપણું તેમ જ કાંટાનું તીણપણું—અણુદારપણું એ બધું પ્રયત્નથી કે બીજા કઈ કારણથી નહીં પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. કેઈ નિયતિવાદી છે તે નિયતિ સિવાય કોઈને કારણ ન માનતાં પિતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે. ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી, તેથી તે બધું નિયતિને આભારી છે. એમાં કાળ, સ્વભાવ કે બીજા કોઈ કારણને સ્થાન–અવકાશ નથી. - કોઈ અદણવાદી અદઈને જ કારણ માની તેની પુષ્ટિમાં
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy