SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૭૧ ] નહીં તે શેતાન, શેતાનના માથા ઉપર કાંઇ શીંગડા ઊગતાં નથી. પેાતાની સારી–તરસી કરણીથી જ તેની કિંમત થઇ શકે છે. ૧૬. સખાવત સ્વર્ગની કુંચી છે અને દયા ખાનદાનીનેા ખાનેા છે; છતાં તેનાં દર્શન દુર્લ`ભ છે. ૧૭. નદીનું પાણી અસલ સમુદ્રમાં ભળે છે અને તે પાછુ વરસાદરૂપે વરસી નદીને મળે છે તેમ દાન આપનારની ઢાલત પાછી વ્યાજ સાથે તે દાતારને જ મળે છે. તેમ છતાં માયા– મમતા તજી, પાપકારના કાર્ય માં તેના વ્યય કરનારા વિરલા છે. ૧૮. ભુંડાઇને બદલે ભલાઇ કરે અને અપકારીને પણ ઉપકાર કરે તેને ખરા સત્પુરુષ સમજવા. ૧૯. ચઢતીમાં ગર્વ ન કરે અને શરણાગતના કંદી ત્યાગ ન કરે તેને જ માટેા માણુસ સમજવે. ૨૦. સાંભળે કે ગ્રહણ કરે તેને જ શિખામણ આપવી સારી. મૂર્ખને શિખામણ દેવાથી ઊલટી હાનિ થવા પામે છે. ૨૧. બીજાને ઠપકેા આપવે! એ જ અવગુણુ આપણામાં હાય તેા તે જલ્દી દૂર કરી દેવા ઘટે. ૨૨. ચાર, વ્યભિચારી, ધર્મદ્રોહી ને રાજદ્રોહીથી દૂર રહેવામાં જ મજા છે; અન્યથા ખુવારી છે. ૨૩. અનેક યુદ્ધેામાં જીત મેળવનાર ચેઢા કરતાં મન ઉપર જીત મેળવનાર માટા ચાઢો છે. ૨૪. શ્રીમંતાને ત્યાગીઓને સતાષવાથી જે સુખ મળે તે સુખ બીજી ચીજમાં મળતું નથી.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy