SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫૫ ] ન દાન પરત્વે શિખામણ—પાસે ધન છતાં દાન દઈ ન શકે, દાન દે છતાં સાથે વાણીની મીઠાશ ન રાખે એ અંતરાય અને અવિવેકનું પરિણામ જાણવુ. કારણ કે પ્રિયવચન સાથે ઉદારતાથી યથા સ્થાને વિવેકપૂર્વક દાન દેનારા સંસારમાં કઇ વિરલા જ નજરે પડે છે. જેમ કાઇક વૃક્ષને ફળ પુષ્કળ આવે પણ શીતળ છાયા ન મળે, કાઇક વૃક્ષની શીતળ છાયા હૈાય પણ સુસ્વાદુ ફળ ન એસે, કેઇ ને કેાઇ વાતની ખામી રહેલી હેાય છે. શીતળ જળ, સુસ્વાદ ફળ અને શીતળ છાયાવાળાં ઘટાદાર વૃક્ષેાયુક્ત સરાવર કાઇક જ સ્થળે હાય છે. સાત પદાર્થોની વૃદ્ધિ—૧. સત્કીર્તિ, ૨. સુકુળ, ૩. સુપુત્ર, ૪. વિવેક—કળા, ૫. સુમિત્ર, ૬. સદ્ગુણ અને ૭. સુશીલ. એ સાતની વૃદ્ધિથી જીવને ધર્મ-વૃદ્ધિ થવા પામે છે. હૃદયમાં ધારવા ચેાગ્ય સાત પદાર્થ—૧. ઉપગાર, ૨. ગુરુ-વચન, ૩. સ્વજન અથવા સજ્જન, ૪. સુવિદ્યા, ૫. ગ્રહણ કરેલાં વ્રત-નિયમ, ૬. વીતરાગ દેવ, અને છ, નવકાર મહામંત્રએ સાત વાનાં કદાપિ વીસરવાં નહીં. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ—એ દરેક પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ એ પ્રકારે હાઈ શકે છે. કાઇ પણ કાર્યની સિદ્ધિ માટે ક્રમસર એની જરૂર રહે છે, એના વગર કોઇ પણ કાર્ય ની સિદ્ધિ થઇ શકતી નથી. એ સંબધી વિશેષ હકીકત ગુરુગમ્યથી કે ગ્રંથાંતરથી સ્વયમેવ જાણી લઇ અપ્રશસ્તભાવ તજવાના ખપ કરી પ્રશસ્તભાવ આદરવા સાવચેત થવુ જેથી ઇષ્ટ કાર્યસિદ્ધિ થઇ શકે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy