SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [ રેપર 3 શ્રી કરવિજયજી વિકારોની સામે વીરતાપૂર્વક લડે. જે મનુષ્ય તે વિકારે ઉપર વિજય મેળવે છે તે ત્રણ ભુવનને વિજેતા થાય છે. ૩. જે સવિચાર, ભાવના અથવા સત્કાર્ય પાછળ મનુષ્યની સમગ્ર શક્તિઓને વ્યય કરે પડે છે તેવા વિચાર, ભાવના કે કાર્ય પાછળ પૂર્ણ બળથી લાગવામાં હદબહારની વિકારજનક . શક્તિનું ચેાગ્ય રૂપાંતર થઈ જાય છે. સુજ્ઞ પુત્રવધુની જેમ તેથી પરિણામે દુષ્ટ ને દુર્જય વિકાર ઉપર કાબુ મેળવી શકાય એવું સુંદર પરિણામ આવે છે. ૪. કઈ પણ સારી સમાજોપયેગી સંસ્થાની વ્યવસ્થા કરવી, ચાવત્ નિ:સ્વાર્થપણે જ જનસેવામાં સ્વજીવન અર્પણ કરવું, કઈ પણ રૂપે પિતાનું સ્વરૂપ-વ્યક્તિત્વ પ્રગટ કરવાની ભાવના કરી તેને અમલમાં મૂકવી, ટૂંકમાં કોઈ પણ પ્રકારની મહત્ત્વકાંક્ષાને સિદ્ધ કરવી એ પુરુષ કે સ્ત્રીની ઊભરાઈ જતી ઉત્પાદક શક્તિને પ્રગટ થવા માટે ઉત્તમ આવકારદાયક માર્ગ છે. - પ. વિકારોના સ્વાભાવિક જુસ્સાને વશ થવાને બદલે આપણે આપણું બધી શક્તિઓને કેઈક ઉચ્ચ હેતુ સિદ્ધ કરવાને માટે વિચારપૂર્વક જવી જોઈએ. ૬. હેતુ વગરની ક્રિયાઓ જીવનશક્તિને નિરર્થક વ્યય છે. “ ૭. જિતેન્દ્રિયત્ન પ્રાપ્ત કરવા માટે કાંઈ કરવાને તથા કાંઈ મેિળવવાને દઢ સંકલ્પ-નિશ્ચયપૂર્વક બળ અજમાવે, જેથી બહુ લાભ થઈ શકશે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૭૬. ]
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy