SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૨૫ } ન છેતરાય; કારણ કે માણસ ગમે એવું કપટ કરે તે પણ મનુષ્ય એકબીજાનાં હદય પારખી જાય છે અને પછી તે કપટીને વિશ્વાસ ઊઠી જવાથી તેનું સાચું કામ પણ માર્યું જાય છે અને તેનો બળાપે થયા કરે છે. પ્રેમ-નિઃસ્વાર્થ પ્રેમ એ ચારિત્રમંદિરનું રક્ષણ કરનારું ઉપયોગી ઢાંકણું છે. જેમ મકાનનું બાા છાપરું તાપ અને વરસાદથી રક્ષણ કરે છે તેમ નિ:સ્વાર્થ પ્રેમ પણ જ્ઞાન અને બૈર્યનો અગ્ય ઉપયોગ થતો અટકાવે છે. શુદ્ધ પ્રેમ વગરના જ્ઞાન ને હૈયે પણ ભયરૂપ થઈ પડે છે. પ્રેમ એ એકલો શબ્દ લાગણુસૂચક છે, પરંતુ તેમાં માન, પ્રશંસા, પૂજ્યભાવ, ભક્તિભાવ, પરેપકાર, દિલજી, દયા, અનુકંપા અને સહાયકવૃત્તિ વિગેરે અનેક સદ્ગણોને સમાવેશ થઈ જાય છે. આ સર્વે સદ્ગણે પ્રેમમાંથી જ પ્રગટે છે. પ્રેમને મુખ્ય ગુણ મિત્રતા છે અને દૃઢ મિત્રતા એ જ બંધુત્વ છે. તેના ઉપર આપણા આત્મવિકાસને માટે આધાર છે. જે આપણે આત્મા બળવાન, વૈર્યવાન બને તે આપણને આગળ વધતાં કોણ અટકાવી શકે? સ્વતંત્રતા–માં જ જીવનને ખરે આનંદ છે અને સ્વતંત્રતાને ખરે ઉપગ એ જ ખરું જીવન. કારાગૃહમાં સડવું તેના જેટલું જ બંધન પિતાને સમય વ્યર્થ ગાળવામાં, પિતાને ધમ યથાર્થ નહિ બજાવવામાં અને પિતાની શક્તિનો યોગ્ય ઉપયોગ નહિ કરવામાં છે. એટલા માટે જ બાહ્ય પદાર્થોથી ભય પામવાની જરૂર નથી, પરતું આપણું શક્તિઓને યેગ્ય ઉપયોગ . ૧૫ . . . . . . .
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy