SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] શ્રી કર્ખરવિજયજી ૨૭. પિતાના ગમે તેવા અશુદ્ધ ધર્મને પણ ખોટો કેણ માને છે ? પિતાની દુષ્ટ માતાને ડાકણ કણ કહે વારુ?" ૨૮. જેમ કૂતરાની પૂંછડી પ્રયત્નથી દાટી રાખી હોય તો પણ સીધી થતી નથી તેમ ગમે તેટલી રક્ષા ને શિક્ષા પામેલ નીચ જને સન્માર્ગને આદરતા જ નથી. . . . - ૨૯ જ્ઞાન, દર્શન ને ચારિત્રની આશાતના ઘણી વાર કર્યા પછી મિચ્છામિ દુક્કડં દેવ તે સાગરમાં લોટની ચપટી નાંખવા સમાન ગણાય. ૩૦. પરસ્ત્રીમાં લંપટ અને પરદ્રવ્યને ચાર પ્રાયે વિનાશને પામે છે, કેમકે “ધર્મો જય ને પાપે ક્ષય. ૩૧. જે મુખ્ય માર્ગને તજી, સ્વેચ્છાચારી બને છે તે નિંદાપાત્ર થાય છે. પાપી પાપવડે પચાય છે અર્થાત્ પાપને ઘડે ભરાય એટલે ફૂટે છે. ' ૩૨. પોતે પાપકર્મ કરનાર અને અન્ય જનેને નિન્દ મનુષ્ય શી રીતે શુદ્ધ થઈ શકશે? કાગડા પિતે કાળો હોવા ઉપરાંત ગળીના કુંડમાં ન્હાય પછી તે શી રીતે ઉજજવળ થઈ શકે? - ૩૩. પાપકર્મ કરનાર પ્રાણું ગમે ત્યાં ગયે છતે મધ્ય ગ્રંથીવડે કદર્શિત કપાસની પેઠે. સર્વત્ર પીડા પામે છે. . : ૩૪. દૂધવડે દેવામાં આવે છતાં પણ કાગડે શું હંસપણું પામી શકે? ન પામી શકે. તેમ તપવડે ભલે કાયા કૃશ કરી નાખી હોય છતાં મિથ્યાષ્ટિ જીવ સારી ગતિ પામી શકતું નથી.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy