SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 લ 1 પૂરી થાય તામ્બર શ્રીમતિ તે ભયંકર ઉપથ [ ૧૮ ] * શ્રી રવિજયજી પડતી સ્થિતિનું દીર્ઘ અવલોકન કરતાં રહી, તેની હદયભેદક વ્યવહારિકનૈતિક–રાજકિય તથા ધાર્મિક અવનતિ નજરે નિહાળી, તેનાં વાસ્તવિક કારણોની તપાસ કરી, તાત્કાલિક તેના ચાંપતા ઈલાજ લેવા માટે પિકારી પિકારી અનેકશા લેખે દ્વારા કે પત્રો દ્વારા સ્પષ્ટ જાહેર કરતા આવ્યા છે, પરંતુ જાણે હજી કંઈ સમાજની અવનતિ થવામાં બાકી રહી હોય તે પૂરી થાય ત્યાંસુધી ઘણાખરા વેતામ્બર શ્રીમંતે તેનો અમલ કરવાની ભયંકર ઉપેક્ષા કરતા રહ્યા છે, એ ભારે ખેદ અને શરમની વાત છે. અન્ય જેન અને જૈનેતર સમાજની કેળવણી પ્રમુખ પરત્વે થઈ રહેલ સતત પ્રગતિ જોતાં આપણે સમાજ કેટલે બધે પાછળ પડી ગયેલ છે તેને વ્યાજબી ખ્યાલ કેઈક વિરલ સંશોધકને જ આવતું હશે. આવી ભયંકર ઉપેક્ષાનું પરિણામ પણ એવું જ ભયંકર આવવાનું સંભવિત છે. એથી જ હજી પણ કુંભકર્ણની જેવી ઘોર નિદ્રામાંથી કંઈક જાગૃત થઈને આંખ ખોલીને જોવાય અને તેને ચેપગ્ય પ્રતિકાર-ઇલાજ કરાય–કરી લેવાય તે વધારે સારું એમ મારું માનવું છે. - જે આપણા સમાજને ટકાવી રાખી જેનશાસનને શોભાવવાદીપાવવાની ખરી ઈચ્છા-અભિલાષા જ હોય તે હવે સવેળા ચેતીને મિથ્યા ભ્રમવશ થયેલી અને થતી આપણું સેંકડો ભૂલ સમજી સુધાયે જ છૂટકે છે. ઉન્નતિની ખરી દિશાને ઓળખી પૂરતી શ્રદ્ધા ને હિમ્મતથી સાચા માર્ગે સંચરવાથી જ આપણે પુનરુદ્ધાર થવા પામશે. આપણું ભાવી સંતતિને સાચા માર્ગદર્શક થવાને આપણે જ સાચો માર્ગ દઢતાથી આદરશું ત્યારે ને ત્યારે જ આપણી મુક્તિ છે. [આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૬૮]
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy