SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૩ ] ઘણા સાથે વૈર કરવું નહિ. જે કામમાં રસ ન હેાય તે કામ કરવું નહિ. કદાપિ કરવું પડે તેા ઘણાએ સાથે મળીને કરવું. ધર્મ, પુન્ય, દયા, દાન વગેરે શુભ કામોમાં બુદ્ધિમાને સમાં આગળ વધવું-અગ્રેસર બનવું. સુપાત્ર સાધુને દાન આપી ગવ કે ઈર્ષ્યા કરવાં નહિ. દરિદ્રી, પીડિત, સાધર્મિક, તથા જ્ઞાતિમાં બુદ્ધિવાળા હાય, ગુણુમાંમેટા હાય, વયમાં મેટા હાય, સંતાન વગરનાં હાય તે સત્તુ યથાયેાગ્ય પાલન કરવુ. આપણા કુળમાં જે કામ કરાતુ ન હેાય તે કદી કરવું નહિ. ભાજન વગેરે પેાતાની શક્તિ ઉપરાંત કરવાની હિંમત કરવી નહિ. વિવેકી માણસે તેલમાં, પાણીમાં, શસ્રમાં, મૂત્રમાં, રુધિરમાં પેાતાનુ મુખ ન જોવું, કેમ કે તેથી આયુષ્યની હાનિ થાય છે. સુજ્ઞાએ પેાતાનુ ખેલેલું વચન પાળવુ ૯ ભાજન તથા દાન કરવાની રીત. સુપાત્રદાન મહાફળદાયક છે, માટે લેાજન વખતે સાધુઓને વહેારાવવા માટે ભક્તિ સહિત નિમંત્રણ કરવું. આપણે હાથે પાત્ર લઈને ગુરુના પાત્રમાં દાન દેવું. પછી વંદન કરવું. આપણા ઘરના દરવાજા સુધી વળાવવા જવું. જેને ઘેર સાધુ આવ્યા ન હાય તે મેઘની પેઠે રાહ જોતાં સાધુને આવતા જુએ તે મનમાં એમ સમજે કે મારેા જન્મ સફળ થયેા. સંતપુરુષની પાતે દાન દઇને ભક્તિ કરી ન હેાય ત્યાંસુધી ઉત્તમ પુરુષ ભાજન કરતા નથી. રસ્તાના થાકેલાને, રાગીને, અભ્યાસ કરનાર વિદ્યાથીને, લેાચ કરેલા મુનિને તેમજ પારણાને દિવસે દાન દેવાય તે મહુ ફળ થાય છે. અભયદાન તથા સુપાત્રદાન મેાક્ષફળ આપે છે, અનુકંપાદાન સતિ આપે છે, તથા
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy