SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪ ] * શ્રી કપૂરવિજયજી છે ખરી કે ? એ સમસ્ત પરિસ્થિતિના ગે અંત:કરણમાં વિલક્ષણ અસ્વસ્થતા ઉત્પન્ન થાય ખરી કે? નહિ એ જવાબ હોય તો તેનું ખરેખરું કારણ શોધી લેશે? [ આત્માનંદ પ્રકાશ પુ. ૨૫, પૃ. ૪૦. ] જૈનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યવહારમાં કેમ વર્તવું? ૧ પ્રથમ માબાપની સાથે કેમ વર્તવું તે વિષે. • માબાપની સેવા મન, વચન અને કાયાથી–એમ ત્રણ પ્રકારે થાય છે. કાયાએ કરીને પિતાના શરીરની સેવાભક્તિ સેવકની પેઠે વિનયપૂર્વક કરવી. પિતાના મુખમાંથી વચન નીકળતાં જ તે પ્રમાણે કરવું. પિતાના શરીરની સેવા કરવી, પગ ધોવા, ચાંપવા, પિતાને ઉઠાડવા, બેસાડવા, ભજનમાં, શયામાં, વસ્ત્રમાં શરીરમાં, વિનયમાં ધનાદિકવડે યથાયોગ્ય જોગવાઈ વિનય પૂર્વક કરવી, પરંતુ કોઈ વાતનો આગ્રહ ન કરવો. પિતાની સેવા–ચાકરી કર પાસે કરાવવી નહિ પણ પિતે જ કરવી. પિતાની મરજી પ્રમાણે વર્તવું. કદાપિ માતા-પિતા કઠણ વચન કહે, તે પણ સત્યુત્રે ફોધ ન કરે. માતા-પિતાના સ્વધર્મ સંબંધી મોરથ પૂરા કરવા એ વગેરે પિતા સાથે ઉચિત આચરણ આચરવું. માતાની સાથે પણ પિતાની માફક જ ઉચિત આચરણ આચરવું, પરંતુ પિતા કરતાં માતાના અધિક મનોરથ પૂરવા. દેવપૂજામાં, ગુરુસેવામાં, ધર્મશ્રવણમાં, આવશ્યકાદિક ધર્મકરણ કરવામાં, સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવામાં માતાની મરજી પ્રમાણે વર્તવું.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy