SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : ' [ ૧૪પ ] ૬. ગંભીરતા, નીરાંગતા, સૌમ્યતા, જનપ્રિયતા, લજજા, દયા, ગુણાનુરાગ, વિનય, કૃતજ્ઞતા, પરોપકારકુશળતા વિગેરે ગુણોના અભ્યાસથી તેવી પાત્રતા આવે છે. ૭. સુપાત્રમાં કરેલો યત્ન સફળતાને પામે છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૬. ] વિદ્યાર્થીઓને હિતસંદેશ લાલ બત્તી ધરવી, ખરાબા પર અથડાઈ ભાંગી જતાં નાવને બચાવવું અને એમ આધ્યાત્મિક વિનિપાત સામે જોરશોરથી ઘેર ઘેર ફરીને સંદેશ પહોંચાડે એ અમારા પૂર્વજોને જીવનમંત્ર હતો તે પર નજર રાખી, અધિકારનો નિર્ણય કર્યા વગર, વહાલા વિદ્યાથીઓને કંઈક કહેવા જિજ્ઞાસા થઈ છે તેને સંતેષવાથી એના કહેનાર અને ઝીલનારનું શ્રેય થાય એ અભિલાષા છે. સંસ્કાર મેળવવા એ જેનું લક્ષ્ય છે, કેમળતા એ જેનો સ્વભાવ છે અને ગ્રહણ કરવું એ જેનું કર્તવ્ય છે એવા વિદ્યાર્થીવર્ગમાં સંદેશ ફળવાન બને એ આશા અસ્થાને નથી. માત્ર અક્ષરજ્ઞાન મેળવવું, ડીગ્રી ધરાવવી, સવસ–નોકરીને લાયક બનવું અને કોઈ ટાઈટલ-ઉપાધિ મેળવી લેવી એ લક્ષ્ય હોવાનું આજના વિદ્યાથી પર ગંભીર અને શરમભર્યું તહેમત છે. આ આપ યા તહેમતના ખરાબા સામે આજનો મારો સંદેશ લાલ બત્તી ધરે છે. આજીવિકા, ડીગ્રી અને એવી બધી ઉપાધિને સાચા અને ૧૦
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy