SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૧ ] ગમનાગમન ક્રિયા પ્રસંગે જયણુા સહિત ચાલવું, ૨ મનગુપ્તિ સાચવવી એટલે મનમાં અશુભ વિચાર આવવા ન દેવા. ૩ વચનશુતિ પાળવી એટલે જીવાપઘાતક-પાપવાળું વચન નહિ ઉચ્ચારવું, પણ જરૂર પડે ત્યારે નિષ્પાપ વચન જ ઉચ્ચારવું. ૪ ભડાપ કરણ લેતાં મૂકતાં જયા-સહિત પ્રવૃર્તવું અને ૫ આહારપાણી જોઇ તપાસી જયણા સહિત વાપરવાં. જોયા વગર વાપરવાં નહિં. . ૨. હું સર્વથા મૃષાવાદના ત્યાગ કરું છું. ક્રોધ, લેાભ, ભય કે હાસ્યથી ત્રિવિધ ત્રિવિધે એટલે મન, વચન, કાયાથી મૃષા ભાષણ કરું, કરાવું કે અનુમૈદું નહિં. વળી તે મૃષાવાદને પડિયું છું, નિંદુ છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવને વાસિરાવું છું. ભાવના—૧ વિમાસી( વિચારી )ને એલવું, સહસા મેલી નાખવું નહિ. ૨-૫ ક્રેાધ, લેાભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દાષ દૂર કરવા, કેમકે તેથી સહસા હું એટલી જવાય છે. ૩. હું સર્વથા અદત્તાદાન વસ્તુ છું. અર્થાત્ ગામ, નગર કે અરણ્યમાં, થાડું કે ઘણું, નાનુ' કે 'મેટુ, સચિત્ત, અચિત્ત કે મિશ્ર કંઇ પણ અણુદીધેલું હું ઉપર જણાવ્યા મુજબ મને, વચન, કાયાથી જીવિત પર્યંત લઇશ, લેવરાવીશ કે લેતાને અનુમેાદીશ નહિ. 7 ભાવના-૧. રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માગવેા. ૨. ગુર્વેદિક વડીલની રજા લઇને આહારપાણી વાપરવાં. ૩. કાંળમાનની અવધિ બાંધી અવગ્રહ માગવે. ૪. અવગ્રહ માગતા વારંવાર હૃદ માંધવાનું લક્ષ રાખવું અને ૫. પેાતાના સાધર્મિક ( સાધુ ) પાસે પણ પરિમિત અવગ્રહ માગવેા. ઉક્ત ભાવનાઆથી એ · મહાવ્રત રૂડી રીતે આરાધિત થાય છે. :
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy