SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૨ ] શ્રી કરવિજયજી ૯૦. લક્ષ્મી નિવાસ-જ્યાં ગુરુજનેને એગ્ય આદરસત્કાર થાય છે, જ્યાં ન્યાય-નીતિથી ધન ઉપાર્જન થાય છે અને જ્યાં કલેશ કંકાસ થવા પામતે નથી ત્યાં હે મહાનુભાવ! મારે નિવાસ હોય છે. - ૯૧. શ્રેષ્ઠ શું?–ૌન સેવવું સારું પણ જૂઠ કથન કરવું સારું નહીં, પ્રાણ ત્યાગ કર સારો પણ ચાડી ખેરના વચનમાં પ્રીતિ–શ્રદ્ધા કરવી સારી નહીં; ભિક્ષા માગી ખાવું સારું પણ પરાયા ધનથી સુખપ્રાપ્તિની કામના સારી નહીં; તેમ જ જંગલમાં વસવું સારું પણ અવિવેકી રાજાના નગરમાં વસવું સારું નહીં, કેમકે તે બધાં ઉભય લેકમાં અનર્થકારી નીવડે છે. ૯૨. સ્વાર્થવશપણું –સર્વે કઈ સ્વપિત સ્વાર્થ સાધવા તત્પર જણાય છે. શુદ્ધ સ્વ–અર્થ (પરમાર્થ) સાધવા તત્પર રહેનારા વિરલા હોય છે. ૯૩. સજજન દુજન વચ્ચે તફાવતઃ–સજજન એકાદ ઉપકારથી કૃતજ્ઞ બની સેંકડો અપરાધ સહી લે છે, પણ દુર્જન તે સામાને એકાદ અપરાધ જોઈ તેમના સેંકડો કામ બગા ડવાની દુર્બુદ્ધિ ધારણ કરે છે. ૯૪. ખરું ભૂષણુ–સમ્યગ જ્ઞાન ( વિવેક) એ ત્રીજું લેચન (અંતરમાં પ્રકાશ કરી ખરી વસ્તુસ્થિતિનું યથાર્થ ભાન કરાવનારું), અભિનવ–બીજે સૂર્ય, ચોરાઈ ન શકે તે અખંડ જળવાઈ રહે એવું અપૂર્વ ધન (જે સ્વપરને બહુ ઉપકારક થઈ શકે) અને વગર. બેજાનું અદ્ભુત ભૂષણ છે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy