SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] શ્રી કર્ખરવિજયજી - ૭૦. ખરા ન્યાયનિપુણનું કર્તવ્ય-અન્ય નીતિ-નિપુણે ચહાય તે નિંદા કરો અથવા તે સ્તુતિ કરે, ધન-સંપદા યથેષ્ટ આવી મળે અથવા તો ચાલી જાઓ, આજે મૃત્યુ આવે અથવા યુગાન્તરે આવે, પરંતુ ધીર પુરુષો ન્યાય નીતિવાળા માર્ગથી એક ડગ પણ ચલિત થતાં નથી–નીતિનું ઉલ્લંઘન કરતા નથી. ઉત્તમજાનું જ જીવિત સફળ હોઈ ઉન્નતિગામી થઈ શકે છે. ૭૧. સજનના સંસર્ગનું ફળ –મહાપ્રભાવશાળી સર્જનને સંસર્ગ કોને ઉન્નતિકારક થતો નથી ? જુઓ શેરીનું ગંદું જળ ગંગા નદીના સંગમથી દેવતાઓને પણ વંદનિક બને છે. એ જ રીતે પાપ-દોષથી મલિન આત્મા ઉત્તમ–સાધુ પુરુષના સંસર્ગથી ભારે ઉન્નતિ પામી શકે છે. - ૭૨. દજનની સંગતિ કરવી નહીં:-મહાભયંકર પર્વતની ઝાડીઓમાં વનચરો સાથે ભમવું સારું, પણ સુરેન્દ્ર ભવનમાં પણ મૂજન સંગાતે વસવું સારું નહીં. મૂM– દુર્જનની સંગતિથી જીવ અધોગતિ પામે છે. ૭૩. નરકનાં ચાર દ્વાર:-પ્રથમ રાત્રિભોજન (પશુની પેઠે વિવેક રહિત રાત્રે ગમે તે આગવું), બીજું પરસ્ત્રીગમન (પરસ્ત્રી સાથે વ્યભિચાર), ત્રીજું બળ અથાણાનું ભક્ષણ (જેમાં અસંખ્ય બેઈન્દ્રિયાદિક જીવની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે ) અને શું આદુ, મૂળા, ગાજરપ્રમુખ બત્રીશ પ્રકારના અનંતકાયનું ભક્ષણ (જેમાં ક્ષણે ક્ષણે અનંત બાદર વનસ્પતિકાય છની ઉત્પત્તિ ને લય થયા કરે છે). સ્વપરશાસ્ત્રોમાં કંદમૂળાદિકનું ભક્ષણ નિષેધ્યું છે. નરકગતિનાં દ્વારભૂત
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy