SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાવી પ્રિયદર્શન પણ જમાલી મુનિને પક્ષ લઈ શ્રમણસંઘથી અલગ થઈ ગઈ હતી. તેમની પણ હઠ હતી. પરંતુ પ્રજ્ઞાવત મહાશ્ચવકે જ્યારે પ્રવેગાત્મક ઢંગથી પ્રિયદર્શનાજીને કમાણે કહેને સિદ્ધાંત સમજાવ્યું તે પ્રિયદર્શનાજી સમજી ગયાં. જિદ છેડી દીધી અને પાછાં ભગવાનનાં ચરણે અને શરણે ગયાં. સત્ય સમજ્યા બાદ પણ પણ અસત્યની જિદ નથી છૂટતી તે તેના પરિણામ ક્યારેય સારાં નથી આવતાં. નારદજીએ જીદ પકડી છે ઈન્દીરના શેઠને વૈકુંઠ લઈ આવવાની ! પણ જે જે તેનું શું પરિણામ આવે છે! કહેનાર કેણ છે? ધમને મહિમા બતાવનાર કેણ છે?–તે વિચારજે, પાપિની જિદ છેડીને ધર્મના માર્ગે ચાલે. ધર્મ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે. ધર્મ બતાવનાર ભવતારક તીર્થંકર પરમાત્મા છે. ધર્મને પ્રભાવ બતાવનાર કરુણાવંત અરિહંત પરમાત્મા છે. પાપને આગ્રહ છે જોઈએ. જીવનને પાપોથી મુકત બનાવવાને આગ્રહ થે જોઈએ. “મારે પાપથી મુકત થવું છે –એ સંક૯પ થ જોઈએ. ધર્મ ને પાપમુક્ત કરે છે. પાપમુકત થવા માટે ધર્મનું શરણ લેવું જ પડશે કહે, થવું છે પાપમુક્ત? પામવી છે મુકિત ? પાપથી કિત પામવાની અભિલાષા નથી. પુરુષાર્થ નથી તે માટે. અને તમને જોઈએ છે સિદ્ધશીલાવાળી મુક્તિ ! કયાંથી મળે એવી મુકિત તમને? જીવરાજ શેઠ મને બિલાડે થયા! જીવરાજ શેઠને મુકિતથી બચવું હતું. આથી જ તે બહાનાં બતાવી રહ્યો હતે. એક વર્ષ બાર નારદજી જીવરાજની દુકાને આવ્યા ત્યારે ગાદી ખાલી હતી! જીવરાજ ગાદી પર ન હતા. દુકાનની અંદર શેઠને છેક બેઠો હતે. નારદજીએ તેને પૂછયું કે ભાઈ ! શેઠજી કયાં છે?” છોકરાએ કહ્યું : “એ તે ગયા મહિને જ મરી ગયા...” હિં! શેઠ મરી ગયા?'નારદજી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. નારદજીને શેની ચિંતા થઈ તે જાણે છે? શેઠ મરી ગયા તેની નારદજીને ચિંતા નથી થઈ. પરંતુ શેઠને લીધા વિના વૈકુંઠમાં જઈશ તે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy