SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩ જે વસ્તુ હોય, તેને જ નિષેધ થાય એક તે ગજબને તક છે! જે વસ્તુ હોય છે, તેને જ નિષેધ કરાય છે, જે વસ્તુનું કયાંય પણ અસ્તિત્વ ન હોય તેને નિષેધ નથી કરી શકાતે. “નરક જે કયાંય ન જ હોય તે નરક નથી એવું પ્રતિપાદન નહિ કરી શકાય. “નરક નથી એમ એલતાં જ નરકનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે! હા, અહીં મધ્યલકમાં નરક નથી, ઉલાકમાં નરક નથી, એ વાત ખરી, પરંતુ નરક જ નથી, એમ માનવું તદ્દન ખોટું છે. જે શબ્દ હોય છે તે અર્થને બેધક હોય છે. “પુસ્તક શબ્દ છે તે પુરતક જેવો અર્થ, અર્થાત્ દ્રવ્ય હોય છે! શબ્દ હોય અને શબ્દવાઓ અર્થ-પદાર્થ ન હોય એ કઈ જ શબ્દ નહિ મળે! બતાવી શકશે તમે આ કેઈ શબ્દ? શબ્દ છે પરંતુ તે શબ્દથી વાચ પદાર્થ ન હોય, છે એ કેઈ શબ્દ ? વિચારીને જવાબ આપે, હા, બે શબ્દોથી–બે શબ્દના સંજનથી બનેલ શબ્દ ન કહેશે. સ્વતંત્ર શબ્દ બતા! તમે તે કહેશે કે “ખરશંગ' શબ્દ છે, પરંતુ શબ્દવાઓ અથ ગધેડાનું શિંગડું નથી. આ સંજિત–મિશ્રિત શબ્દ નહિ ચાલે. ગધેડ' શબ્દ છે તે ગધેડો' નામનું જાનવર પણ છે.” “શિંગડું” શબ્દ છે તે શિંગડું નામ પદાર્થ પણ છે. છે ને આ અકાટય તર્ક? આ તર્કને કેઈ પ્રતિ તર્ક નથી. તેને કઈ જવાબ જ નથી. લાજવાબ છે આ તકે, “નરક' સવતંત્ર શબ્દ છે. એ જ નરકનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. હવે તે માનશે ને નરકના અસ્તિત્વને ? - હવે એ પૂછે કે નરકમાં કયા જીવ જાય છે, શું કરવાથી નરકમાં જવું પડે છે અને નરકમાં શું શું યાતનાઓ અને યંત્રણાઓ સહવી પડે છે? યાદ રાખજો. ધર્મના વિચાર અને ધર્મના આચાર નહિ સ્વીકારે અને પાપવિચાર અને પાપાચારમાં જ રમતા રહેશે તે નરકમાં જ જવું પડશે. હજારે, લાખો, કરે અરે! અસંખ્ય– ગણ્યા ન ગણાય તેટલા અગણિત વર્ષો સુધી પરવશપણે, પરાધીન અવતંત્ર શોઠાનું છે તે બધા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy