SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨૪ :૪૩૩ પડીને આ વાતની? દુઃખી હોય કે પાપી. બંને પ્રત્યે કરુણાભાવ રાખવાનું છે. કરુણાથી હૃદયને નવલપિત રાખવાનું છે. સભામાંથી : દ્રવ્યદુખી પ્રત્યે તે કરુણ આવે છે પરંતુ પાપી પ્રત્યે કરુણું નથી આવતી ! મહારાજશ્રી : સાચી વાત છે તમારી! પાપી પ્રત્યે તમને કરૂણ ક્યાથી થાય? ન જ થાય !!! કારણ કે તમે બધા તે નિપાપ છે !! નિષ્પાપીને પાપી પ્રત્યે તે કંઈ કરુણા થતી હશે? ના, નિષ્પાપીને તે પાપી પ્રત્યે ક્રૂરતાના જ ભાવ જાગે !! અફસોસ ! કેવી ગાડી અને અક્કલ વગરની વાત કરે છે ? “દવ્યદુખી પ્રત્યે તે કરુણા આવે છે પરંતુ પાપી પ્રત્યે કરૂણ નથી આવતી..” હૈયે હાથ મૂકીને કહે, તમારાં જીવનમાં શું કઈ જ પાપ નથી ? કઈ જ પાપ નથી કર્યું તમે જીવનમાં ? સાવ નિષ્પા૫ છે તમારું જીવન નથી જ. એકથી વધુ પાપથી તમારું જીવન ખરડાયેલું છે. કઈને કઈ નાના-મોટાં, સ્થલ કે સૂક્ષમ પાપથી તમારું હૈયું ભીતર ગધાય જ છે, તે પછી બીજાના પ્રત્યે બીજા પાપી જીવ પ્રત્યે તમને ધિકાર કરવાને કર્યો અધિકાર છે? એક ભિખારી બીજા ભિખારીને કહે : “તને ભીખ માંગતા શરમ નથી આવતી ? મહેનત કર. ભીખ માગવી તે બરાબર નથી તમને પાપ પ્રત્યે અરુચિ પેદા થઈ છે? પાપ પ્રત્યે ઘણા અને તિરસકાર જાગ્યા છે ? પાપ કરતાં પહેલાં તમને હૈયે ડંખ વાગે છે? “મારે પાપ કરવાનું ? અરેરે ! કે દુર્ભાગી છુ કે પાપ કરીને જીવવું પડે છે.” આ અફસોસ, આવી કાળી બળતરા તમને થાય છે? માની લે કે પાપ કરતા તમને મઝા પડે છે, આનંદ અનુભવે છે. પરંતુ પાપ થઈ ગયા પછી પાપની જાણ થયા બાદ એ પાપને પસ્તાવો થાય છે? મારું ચાલે તે ભવિષ્યમાં આવું પાપ તે કરી ન કરું.' આ વિચાર આવે છે? ના. નથી આવતું વિચાર, મઝા માણે છે. તમે પાપમાં બીજા પાપ કરે તે તમે તેની ૫૧ તેની ઘણા કરે. છો! પાપની તેને સજા મળર્વી જોઈએ તેવું બૂમરાણ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy