SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨ : ૩૫ સુખ પાપથી નથી મળતાં, ધર્મથી જ મળે છે. તે સર્વપ્રથમ તમારે પાપનો ત્યાગ કરવું પડશે. ધર્મમાગે આવવું પડશે. ધન જોઈએ કે ભેગસુખ જોઈએ, પાપ માર્ગ છોડીને તમે ધર્મમાર્ગ પર આવી જાઓ. એથી તમારી પાપવૃત્તિ સમાપ્ત થઈ જશે. પછી સમાપ્ત કરવી પડશે પાપપ્રવૃત્તિને. ધનેચ્છા અને ભેગેચ્છા પાપવૃત્તિ છે. ધર્મમાર્ગ પર આવવાથી, સદ્ગુરુઓના સમાગમથી પાપપ્રવૃત્તિ પણ ખતમ થઈ જશે. - તમારે છેક છે, ભણત નથી. દસ્તા સાથે આખો દિવસ રખડયા કરે છે. તમે તેને ભણાવવા ઈચ્છો છો તે શું કરશો તમે તેને ભણાવવાની મહત્તા સમજાવશે અને રખડપટ્ટીથી થતાં નુકશાન સમજાવશે. છતાં છોકરાના ભેજામાં ઉતરશે નહિ, તમારી વાત એ નહિ માને, હવે શું કરશે ? સર્વપ્રથમ તે તેને ઘરની બહાર જતે અટકાવે. તેને કહે કે “રમવું હોય તે ઘરમાં રમપણ બહાર રમવા નથી જવાનું.” તમે તેને થોડા દિવસ ઘરમાં રમવા દો એથી રખડેલ અને ભટકેલ ‘સ્તારે ઘરે નહિ આવે. અને આવે તો તેમને ઘરમાં આવવા ન દે. પછી તમે તેને સમય ભણવાનું કહે. એ માની જશે. ધીમે ધીમે ભણવામાં તેનું મન લાગી જશે. પછી આપોઆપ રમવા–રખડવાનું છૂટી જશે અને ભણવા માંડશે. ધર્મક્રિયાને અમૃતક્રિયા બનાવો : પાપના વિષયમાં આવું જ છે. માણસ ધનપ્રિય છે, કામભેગપ્રિય છે. એ પાપની પાસે જાય છે. હિંસા કરે છે. જઠું બોલે છે. ચેારી કરે છે, વ્યભિચાર કરે છે. આવા માણસને ધર્મમાર્ગ પર લાવવું હોય તે તેને કહે : “ભાઈ ! તારે ધન જોઈએ ? તારે કામગ જોઈએ ? શા માટે દુનિયામાં રખડે છે? અહીં આવ. ધર્મની આરાધના કર, ધર્મ કરવાથી તેને ધન પણ મળશે અને ભેગસુખ પણ મળશે.” જ્યારે એ ધર્મમાર્ગ પર આવે. ભલે તે ધનેચછા કે ભેગેચ્છાથી ઘમ કરે, તરત તેને ઈ છેડે નહિ. છેડે સમય તેને સકામ ધર્મ કરવા દે. પછી તેને ખૂબ પ્રેમથી સમજાવે કે ધનેચ્છા અને ભેચ્છા સારી નથી. આવી ઈચ્છાઓ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy