SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨૩. ૪૦૯ વ્યવહારથી મન અશાંત અને ઉદ્વિગ્ન બનતું હોય ત્યારે આ માણ ભાવનાનું ચિંતન કરે એવા પ્રસંગે આ ભાવનાને ઉપયોગ કરો. તમારા મનના બધા ઉગ અને અશાંતિ દૂર થઈ જશે. મનને તેથી શાતિને અનુભવ થશે દરેક જીવાત્માનું પિતાનું ભાવિ નિશ્ચિતઃ તમને લાગે છે કે તમારે સ્નેહી-તમારા સ્વજત અહિતકારી કાર્ય કરે છે, એવું ન કરવા તમે તેને સમજાવે છે, ફરી ફરીને સમજાવે છે, છતાંય તમારે કહ્યું તે માનતું નથી અને એ અહિ તકારી કાર્ય કરતે જ રહે છે, તે તમે તેને કહેવાનું છોડી દે. તેને જે ઠીક લાગે તે કરવા તેને રોકવાનો પ્રયત્ન.ન કરે. ગભરાવ નહિ! “આ આવું ખરાબ કરી રહ્યો છે, તે શું થશે આનું આવું કઇ વિચારો જ નહિ,! એના નશીબમાં જે થવાનું હશે તે થશે બનવાનું બનીને જ રહેશે, તમે બનનારને અટકાવી નહિં, શકે. તમે થાય તેટલા પ્રયત્ન કરી લીધા. હવે અનુચિત પ્રયત્ન કરવાની હિંમત ન કરે. અનુચિત પ્રયત્ન કરવાથી ન તે તેને લાભ થશે; ને તે તમને. LET GO કરે. મનને ભારમુકત કરે. તમે એક સિદ્ધાંત બરાબર સમજી લે - - 'येन जनेन यथा भवितव्य ર૬ માતા સુર રે.. . જે માણસ જે બનવાને હશે તે બનશે જ થવાનું છે તે થઈને જ રહેશે. તમે તેમાં જરાય ફેરબદલ નહિ કરી શકે. સર્વશક્તિમાન ઈશ્વર પણ તેમ થતું નહિ અટકાવી શકે. દરેક જીવાત્માનું પિતાનું ભાવિ નિશ્ચિત છે ! ' , , ; જેમને કેવળજ્ઞાન થયું હોય છે, જે સર્વજ્ઞ હોય છે, તેઓ દરેક જીવાત્માનું ભવિષ્ય જોઈ શકે છે, જાણી શકે છે. ભવિષ્ય નિશ્ચિત * હોય તે જ જોઈ શકાય, તે જ જાણી શકાય. આપણને કેવળજ્ઞાન
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy