SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ 8૯૪ મીઠી મીઠી લાગે છે મુનિવરનું દેશના કર્યો. ભગવાન મહાવીરે સિદ્ધાંત બતાવ્યું હતું કે જે કામ થઈ રહ્યું હોય, તે કામ થઈ ગયું એમ વ્યવહારમાં બેલાય છે. જમાલી મુનિ જ્યારે બિમાર પડયા, શિષ્ય રાતે તેમને સંથારે પાથરતા હતા, જમાલી મુનિએ પૂછયું: “સંથારે પાથરી દીધે? શિષ્ય કહ્યું : “જી હા, સંથાર થઈ ગયો છે, પધારે. તે સૂવા માટે ગયા અને જોયું તે હજી સંથારે પથરાતે હતા! જમાલી બિમાર હતા. અસ્વસ્થ હતા. અસહિષ્ણુ બની ગયા હતા. તેમને ગુસ્સો ચડે તેમણે ઊંચા અવાજે કહ્યું |-- સંથારે પથરાઈ નથી ગમે છતાંય થઈ ગયે, એમ કહીને શું તમે જુઠું નથી બેલ્યા? એમ બોલીને તમે બીજા મહાવ્રતને ભંગ નથી કર્યો? " શિષ્ય શાંતિથી જમાલિ મુનિને ગુસે સહન કર્યો. પણ જવાબ જરૂર આવે! તેમણે કહ્યું : “ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે કમાણે કહે- જે કાર્ય થઈ રહ્યું હોય, તે થઈ ગયું એમ વ્યવહારમાં બોલી શકાય છે. આ સાંભળી જ માલિ મુનિને અહંકાર ઉછળી પડયોઃ “બેટી વાત છે. જે કાર્ય હજી પૂરૂં નથી થયું તેને પૂરૂ થઈ ગયું એમ કહેવું એ શું સત્ય છે? કાર્ય પૂરું થઈ ગયા પછી જ કાર્ય થઈ ગયું એમ કહી શકાય. માટે કમાણે કરડે નહિ પણ કડે કહે લેવું જોઈએ.' સ્વસિદ્ધાન્તનું મમત્વ મારે છેઃ - સુનિઓએ જઈને ભગવાનને આ વાત કરી. ભગવાને જમાલિ મુનિને પિતાની પાસે બેલાવીને કમાણે કહેને સિદ્ધાંત સમજાવવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિ ત્યાં સુધીમાં - અહંકારની સાથે મમકારથી પણ બંધાઈ ગયા હતા . તેમના મનમાં પિતાની યુતનું મમત્વ બંધાઈ ગયું હતું 1 હજારો સાધુ-સાધ્વીઓમાં પણ આ સિદ્ધાંતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જમાલિમુનિના
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy