SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨૨” : ૩૯૧ નથી! લાખ ઉપદેશ આપવા છતાંય તે બુરાઈ છેડતા નથી. સુધરતા નથી! ઉત્તમ નિમિત્ત મળવા છતાંય તેની તેમના પર કોઈ જ અસર પડતી નથી. આવા સુધારાથી પર, નહિ સુધરનારા બુરા-ખરાબ માણસો પ્રત્યે માધ્યશ્ય-ઉપેક્ષા ભાવનાથી જોવાનું છે. તેમની સાથે ઉપેક્ષા–ભાવ રી બલવાનું છે. તેમના માટે વિચારવાનું પણ ઉપેક્ષા ભાવનાથી છે. ઉપેક્ષાની ભાવનાથી વ્યવહાર કરવાથી એવા ખરાબબુરા માણસે પ્રત્યે હૈયે રેલ નથી થતું. તેમના પ્રત્યે ઘણા અને તિરસ્કાર નથી થત. મન તેથી મરિન નથી બનતું. ઘણું અને ધિક્કારથી બચો સંસાર છે આ તો! સસારમાં તે બધા જ પ્રકારના માણસ મળવાના! નેહી અને સ્વજનના રૂપમાં પણ આવા માણસ મળવાના. આપણા સ બંધમાં આવેલા માણસને જ્યારે ખરાબ કામ કરતા જોઈએ છીએ, જાણુએ છીએ, સ્વચ્છ અને બે મર્યાદા જીવનમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ ત્યારે જલ્દીથી તેમના પર ગુસ્સો ચડે છે! મન તેમના માટે ઘણા અને ધિક્કારથી ભરાઈ જાય છે. એવા લેકે પ્રત્યે ગુસ્સો ચડવો, તેમના પ્રત્યે ઘૂ અને ધિક્કાર થવા તે મનની, આપણું મનની નિર્બળના છે. આ નિર્બળતાને દૂર કરી શકાય છે. મનની આ નિર્બળતાને દૂર કરવાને સુદર ઉપાય છે માધ્યય ભાવના. મનની એ દુર્બળતાને દૂર કરવાનો સચોટ ઉપાય છેમાધ્યચ્ચ ભાવના. તે મેટાએની પણ થાય છે. ભલભલા મહાન વિદ્વાનો અને મહાત્માઓની પણ ભૂલ થાય છે, પણ જેઓ પોતાની ભૂલ સ્વીકારે છે અને ભૂલ બતાવનાર પ્રત્યે સ્નેહ, સદ્ભાવ અને આદર રાખે છે. તેઓ પોતાની ભૂલ સુધારી પણ લે છે. કેટલાક તે પોતાની ભૂલ સ્વીકારવા જ તૈયાર નથી થતા. “ભૂવ કરુ જ નહિ. મારી ભૂવ હોઈ શકે જ નહિ –આવુ મિથ્યાભિમાન રાખીને ફરે છે. આવા માણસો તેમની ભૂલ બતાવનાર પ્રત્યે રોષ કરે છે. ગુરુ હોય
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy