SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રચાર : ૩૭ તેણે પત્નીનું મેં ન જોયું. પત્રથી પણ ખબર ન પૂછી. માએ પણ આ દરમિયાન બનાવટી પ્રેમપત્રની કયારેય વાત ન કરી. બે વરસ બાદ પત્નીએ છૂટાછેડા લઈને નવી જિંદગી શરૂ કરી! આમ માએ ઈર્ષ્યાથી પુત્રને પુત્રવધુની જિંદગી બરબાદ કરી. પિતાના પુત્ર અને પુત્રવધૂનું સુખ મા ન જોઈ શકી. અને તેમનું સુખ છીનવી લેવાને અધમ માર્ગ અપનાવ્યું. આથી વધુ - ઈર્ષ્યાનું ભયંકર બીજુ કામ શું હોઈ શકે? પુત્ર-પરિવારનાં સુખની ઈર્ષ્યા કરનારાઓ બીજાના સુખની તો ન જાણે કેટલી ઈર્ષ્યા કરતા હશે ? સુખી બનવુ હોય તો બીજાના સુખની ઈર્ષ્યા કરવાનું આ પળે જ છેડી દે. અને સુખી-ગુણીજને પ્રત્યે પ્રમોદ ભાવનાનો વિકાસ કરે. અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, સાધુપુરુષ, સાધ્વી, ગૃહસ્થ પુરુષ અને સ્ત્રી, મિથ્યાદામાં રહેલા માળનુસારી જીવા• ત્માઓ આ સર્વેમાં ગુણદર્શન કરો. અને પ્રમોદભાવનાને વધારતા રહે. એ જ પ્રમાણે જેઓ ભૌતિકષ્ટિથી સુખી છે અર્થાત્ જેમની પાસે પુષ્યદયથી ગાડી–વાડી–બંગલા–કર ચાકર વગેરેની જાહજલાલી છે તેમની ઈર્ષ્યા ન કરે. કદાચ તેઓ તેમના વૈભવને દુરુપયોગ કરતા હોય તે પણ તેમની કડક અને કડવી નિદા-આલેચના ન કરે. એવા જીવોની કરુણા ચિત, જે શ્રીમતો પિતાની શ્રીમંતાઈને સદુપગ કરે છે તે જાણુ–સાંભળીને હરખાઓ. આવી પ્રમોદ ભાવનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે આત્મા આનંદ અનુભવશે. જીવનમાં એથી વિશેષ જોઈએ શુ ? આજે આપણે પ્રમોદ ભાવનાનું વિવેચન પૂર્ણ કરીએ છીએ. ચાર ભાવનાઓમાંથી ત્રણ ભાવનાનું વિવેચન પૂર્ણ થયુ. મૈત્રી, 'કરુણ અને પ્રમોદ ભાવનાનુ વિસ્તારથી ચિ તન કર્યું. હવે જેથી માથુણ્ય ભાવનાનું વિવેચન ત્રણ દિવસ કરશુ. આજ બસ, આટલુ જ.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy