SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨૧ : ૭૮૫ ગોવિન્દ્રાચાર્ય પંડિતે દીક્ષા લીધી. ગુરુદેવે તેમને જૈનધર્મના સિદ્ધાંતનું જ્ઞાન દેવાને પ્રારંભ કર્યો. ગેવિન્દ્રાચાર્ય પણ ખૂબ જ વિનય અને નમ્રતાથી અધ્યયન કરવા લાગ્યા. બનાવટ કરનાર દંભી તો વધુ જ વિનય કરે ! નમ્રતા પણ વધુ બતાવે! જેમ જેમ તે અધ્યયન કરતા ગયા. “અનેકાન્તવાદ' જેવા જૈનધર્મના અભૂતપૂર્વ સિદ્ધાંતનું તલસ્પર્શી અધ્યયન કરતા ગયા તેમ તેમ જૈન ધર્મ પ્રત્યેને તેમને દેષ ને રષ દૂર થતા ગયા. આચારમાગમાં અપરિગ્રહને સિદ્ધાંત અને વિચારમાં “અનેકાન્તવાદને સિદ્ધાંત જૈન ધર્મના અકાય સિદ્ધાંત છે તે આવ્યા હતા દોષદર્શન માટે પણ દેખાયા તેમને માત્ર ગુણ જ ગુણ! સાધુજીવનની ઉત્તમ જીવનચર્યાથી તે ખૂબ જ પ્રભાવિત થયા. જૈનધર્મ પ્રત્યે તેમના હૈયે ખૂબજ આદરભાવ વધવા લાગ્યો દૃષ્ટિ જ બદલાઈ ગઈ. ગુરુદેવના ચરણોમાં નમીને ક્ષમા માંગતા તેમણે કહ્યું: - ગુરુદેવ પહેલાં તે મે જૈન સાધુ થવાનો દંભ જ કર્યો હતો. જૈનધર્મ પ્રત્યે મને દ્વેષ હતું. આથી જૈન સિદ્ધાંતનું અધ્યયન કરીને, એ બધાનું ખડન કરીને જૈનાચાર્યોને પરાજીત કરવાની મેલી ભાવના હતી. જૈન ધર્મના સિદ્ધાંત મારે એટલા માટે જાણવા હતા કે વેદાન્તના સિદ્ધાંતેથી તેનું બરાબર ખડન કરી શકું. આ બદહેતુથી હુ સાધુ બન્યો અને તમારી પાસે અધ્યયન કર્યું. પરંતુ આપની કૃપાથી જૈનધર્મના સિદ્ધાંતે જ મને પરિપૂર્ણ અને અકાટ લાગ્યા, આવા સિદ્ધાંતનું ખંડન જ ન થઈ શકે. આવું પરિપૂર્ણ સ પૂર્ણ જૈનદર્શન પામીને હવે હું તેને ઈ દેવા નથી ચાહતે. આપ કૃપા કરીને મને પ્રાયશ્ચિત આપે, પુન : મને ચારિત્રધમમાં સુસ્થાપિત કરે. સાચે જ ગુરુદેવ! અનુભવથી કહું છું કે જૈનધર્મ–જૈનદર્શન પરિપૂર્ણ છે અને તેથી તે સર્વદર્શનમાં સર્વશ્રેષ્ઠ છે.” * ગોવિન્દ્રાચાર્યની દ્રષ્ટિમાં પરિવર્તન આવી ગયુ. ષષ્ટિ ૯ જતી રહી. ગુણદષ્ટિ ખીલી ગઈ. આવું કંઈના જીવનમાં સહજભાવથી
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy