SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સુખ જોઈને તમારે દયાભાવ કરવાની કોઈ જ જરૂર નથી. તમે તે હે માત્ર પ્રમોદભાવ જ રાખો. હા, કોઈ પાપાચરણ કરતું હોય તે જરૂર તેની કરુણ ચિંતા, આજને સુખી પૂર્વભવને ધર્મામા ? એક વાત બરાબર સમજી લે. કેઈપણ સુખ ઘર્મની આરાધના કર્યા વિના નથી મળતું. આજે જે સુખી છે તે પૂર્વજન્મના ધર્માત્મા છે. પૂર્વજન્મમાં ધર્મની આરાધના કર્યા વિના અહીં સુખ મળતું જ નથી. ધર્મની આરાધનાથી પુણ્યકમ બંધાય છે અને પુણ્યકર્મના ઉદયથી સુખની પ્રાપ્તિ થાય છે. જૈન ધર્મને આ અવિચળ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના અનુસાર આજને સુખી જીવ પૂર્વજન્મને ધર્માત્મા છે. ધર્માત્માના રૂપમાં તેમને જુઓ તે પ્રભેદભાવ જરૂર થશે જ. સભામાંથી સુખી-પ્રીમ તેને વધુ પાપ કરતા જોઈએ છીએ તે તેમના પ્રત્યે દેવ થઈ જ જાય છે. પાપી પ્રત્યે નહીં, પાપ પ્રત્યે દ્વેષ કરે ? મહારાજશ્રી : પાપે પ્રત્યે દ્વેષ થાય છે ને? તેમનાં સુખની ઈર્ષ્યા તે થતી નથી ને ? તમારા મનને બરાબર તપાસે. તેને બરાબર ધુણાવીને આ બે પ્રજનેના સાચા જવાબ માગે, તમારી ભીતર જુઓ પાપ પ્રત્યે દ્વેષ થતું હોય તે તમે અપરાધ નથી કરતા. તે તમે અપરાધી નથી. પણ ઈર્ષોથી વેષ થતું હોય તે તમે ગુનેગાર છેતે તમે ઘણે માટે ગુને કરે છે, પાપ પ્રત્યે ભલે દ્વેષ કરે, પાપી પ્રત્યે દ્વેષ નથી કરવાને. પાપી પ્રત્યે હૈયે માધ્યભાવ અને કરુણાભાવ જ રાખવાને છે. હું તમને એ બરાબર સમજાવવા માંગું છું કે આજ જેની પાસે ભૌતિક સુખ છે, વૈષયિક સુખ છે, તે સૌ કઈ પૂર્વજન્મના ધર્માત્મા છે. પૂર્વ જન્મમાં જેમણે દાન, શીલ, તપ આદિ ધર્મની આરાધના કરી હોય છે તેઓ વર્તમાન જીવનમાં અનેક પ્રકારના સુખના
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy