SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ }} મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કેવુ અપૂર્વ વાત્સલ્ય છે! સાધ્વીજી ખરાખર જાણે છે કે ભાજ તુર્ભિદ્ર પુરહિતે એક દિવસ જિનમદિરમાં જઈને પરમાત્મા જિનેશ્વર દેવની પ્રતિમાની ખૂબજ મજાક ઉડાવી હતી ! છતાં પણ તેમના પ્રત્યે સાધ્વીજીના હૈયે કૈાઇ રાષ નથી, તેમને પણ સદ્ધની પ્રાપ્તિ થાય !' એવી ભાવ કરૂણા આર્લી, અપરાધી પ્રત્યે પણ ક્રોધ નહિ પરંતુ કરૂણા ! સૌંત હૃદયની આ વિશેષતા હેાય છે. અપરાધી પ્રત્યે રાષ અને તિરસ્કાર તે સંસારમાં ખધા જ કરે છે. સાંતની દૃષ્ટિ જ્ઞાનષ્ટિ હેાય છે. સાર્વીજીના ઉપાશ્રયના શાંત અને પવિત્ર વાતાવરણથી તેમજ સાત્રીજીએની શિસ્ત અને અનુશાસનથી હરિભદ્રપુરાહિત પ્રભાવિત થયા. તેમણે સાધ્વીજીને પુનઃ પ્રણામ કર્યા અને વિનયથી તેમની વિદ્યાપ લીધી. સાધ્વાજીએ ‘ધર્મ લાભ'ના વિદાય-આશીર્વાદ આપ્યા. હરિભદ્ર પુરાહતના હૈચે સાધ્વીજી પ્રત્યે પ્રમેદભાવ જાગી ગયો હતા. આથી તેમની વાત તેમને જચી ગઈ. ત્યાથી તે સીધા જિન મદિરમાં ગયા, કારણ કે આચાર્ય દેવ જિનમંદિરની બાજુના જ ઉપા શ્રયમાં બિરાજમાન હતા. મારે હરિભદ્ર પુરહિતના મન અને મગજમાં સાધ્વીજીની પવિત્ર તેજસ્વી મુખમુદ્રા, તેમની વત્સલ અને ત્રિનાંત વાણી તેમજ ઉપાશ્રયનુ શાંત અને અનુશાસિત વાતાવરણુ છવાઈ ગયુ હતુ. જૈનધર્મીની આચારમર્યાદા પ્રત્યે તેમના ૐચે સભાવ જગ્યે હતા. આથી જિનમદિરમાં જઈને તેમણે જિનેશ્વરદેવની પ્રતિમાની ખૂબ જ ગુણુસ્તવના કરી ' આ એ જ જિનમંદિર હતુ કે એક દિવસ હાથીના ભયથી ઠરીને હરિભદ્રે તેમાં આશરા લીધેા હતા અને ત્યારે જિનેશ્વરની પ્રતિમાની ખુબજ ઠેકડી ઉડાવી હતી ! તે સમયે તેમના હૈયે, જૈનધમ પ્રત્યે દ્વેષ હતેા. આજે દ્વેષના સ્થાને સદ્દભાવ હુને, પ્રમાદભાવ હતા. હૈયાના ભાવ માણુસના આચરણમાં પ્રતિમિંબિત થાય છે. જે વ્યક્તિ માટે, જે ધર્મ માટે, જે સ્થાન માટે પ્રમેદભાવ જાગે છે,
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy