SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૨૦ પરમાત્માના જીવનચરિત્રો વાંચે ? પરમાત્માના પ્રેમબંધનમાં બંધાવવા માટે તેમના જીવનચરિત્રનું વાંચન કરવું જોઈએ. તેમનાં જીવનચરિત્રે વાંચવાથી તેમના ઉત્તમ ગુણે અને મહાન કાર્યો પ્રત્યે પ્રેમ વધે છે. “તીર્થકરેએ આવાં આવા મહાન ઉપકાર કર્યા હતા આ અભાવ હૈયે જન્મે છે. ભગવાન શ્રી ઋષભદેવનું જીવનચરિત્ર વાચતા તેમના જીવાનંદના ભવની કથા વાંચશે તે છવા બિમાર સાધુની કરેલી સેવાભક્તિની વાત જાણીને ચકિત થઈ જશો ! ભગવાન શ્રી મહાવીર પ્રભુના નયસારના ભવની કથા વાંચશે તે નયસારની અતિથિસકારની ભાવને વાંચીને ભાવવિભેર બની જશે. ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુના મેઘરથરાજાના ભવની કથા વાંચશે તે એક અબોલ પક્ષીની રક્ષા માટે પિતાનું આખું ય શરીર કાપીને આપી દેનાર મેઘરથ રાજા માટે તમારું મન-મસ્તક આપોઆપ નમી પડશે! ઘર ઉપસર્ગ કરનારા સંગમ પ્રત્યે તેમજ ગોશાલક પ્રત્યે જરાય જ નહીં કરનારા અને તેમના પ્રત્યે કરૂણા વર્ષાવનાર ભગવાન મહાવીરને કલ્પનાસૃષ્ટિમાં જે તે તેમના પ્રત્યે શું તમને પ્રેમ નહિ જાગે? બંને કાનમાં ખીલા ભેંકનાર ગોવાળિયા પ્રત્યે પણ કશે જ રોષ ન કરનાર એ પરમ પુરૂષના પ્રત્યે શું તમને સનેહ અને સદ્ભાવ નહિ જાગે? પરમાત્મા મહાવીર સ્વામીના ર૭ ભવેનું જીવનચરિત્ર વાં. વિચારે. તેમાં એવી એવી રોમાંચક અદભૂત સત્ય ઘટનાઓ છે કે તે વાંચતાં તમને પરમાત્મા પ્રત્યે અચૂક ગાઢ સંબંધ બંધાશે. પ્રેમભાવ જાગશે જ, પરમાત્મપ્રેમથી મન પ્રમોદ : અમેદ-ભાવનાને પ્રથમ વિષય છે, પરમાત્મતત્વ: પરમ, શાશ્વત્ સુખના સ્વામી પરમાત્મા પ્રત્યે સંપૂર્ણ પરિપૂર્ણ પ્રભાવ જાગ્રત કરવાને છે. અર્થાત્ પરમાત્મા સાથે પ્રેમ કરવાના છે. તેમની સાથે પ્રેમબંધનથી બંધાવાનું છે. જેમ જેમ પરમાત્મા સાથે પ્રેમ શાઢ ને ઘનિષ્ઠ બનતે જશે તેમ તેમ સંસારના તુચ્છ અસાર અને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy