SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દાન પદ્ધતિથી તે સુશ્રાવિકા હતી. વિષપભોગ કરવા છતાં પણ વિષયક ભેગને તે ઉપાદેય નહાતી માનતી. વિષયના ઉપભેગમાં તેને જરાય આસકિત ન હતી. એવું ન હોત તે લાખ રૂપિયાની રત્નકંબલ તેને લલચાવવા માટે પૂરતી હતી' કેશા એક વિવેકી સુશ્રાવિકા હતી? આજકાલ તે બે રૂપિયાની સિનેમાની ટિકિટ પણ નબળા મનની મહિલાઓને લલચાવી દે છે. કેટલીય મધ્યમવર્ગની અને ગરીબ કુટુંબની છોકરીઓ કે મહિલાઓ બે રૂપિયાની સિનેમાની ટિકિટની લાલચમાં પિતાનું શાલ વેચી દે છે! થડા હજાર રૂપિયા મળે તે તેઓ પૂરી જિંદગી પણ વેચી દે! પૈસાનું પ્રલોભન દુનિયામાં સૌથી મેટું પ્રલોભન છે. સારા સારા ગણાતા લકે પણ પૈસાના પ્રભનમાં પાપથી ખરડાય છે. પણ કેશાને લાખ રૂપિયાની કંબલ પણ લલચાવી ન શકી, નૃત્યાગના હતી ને ! કેશાને ગણિક વેશ્યા કહાને? એ વેશ્યા જ હેત તે એ કંબળથી તે લલચાત કે નહિ? લલચાઈ કેશા? ના. કેશા જરાય લલચાઈ નહિ. ફાડીને ગટરમાં ફેંકી દઈને મુનિ પર મહાન ઉપકાર કર્યો. એમ કરીને ચંચળ ચિત્ત બનેલા મુનિને સ્થિર ચિત્ત કર્યા. મેહને અંધકાર દૂર કરીને મુનિના હૈયે જ્ઞાનના રત્નદીપ પિટાવ્યા : કેશા એટલે જ સાચી શ્રાવિકા હતી. આવી જ્ઞાની અને વિવેકી શ્રાવિકાઓ જેમને નહતી મળી તેવા કેટલાય મહામુનિએનું કામવાસનાથી ઘેરાઈને પતન થયું હતું. અષાઢાભૂતિ મહામુનિનું પતન કેમ થયું? એ બે છોકરીઓ શ્રાવિકા ન હતી. નટરાજની પુત્રીઓ હતી. બંનેએ મળીને અષાઢા ભૂતિનું પતન કર્યું. નન્દિષેણ મુનિનું પતન થયું. કારણ કે તેમને વેશ્યા મળ. શ્રાવિકા ન મળી. અરણિક મુનિનું પણ પતન એ જ કારણે થયું. તેમને અવિકા ન મળી, મહાશ્વ સ્ત્રી મળી ને તેમનું પતન થયું
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy