SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આવી ઘટના તમારા જીવનમાં બને તે તમે શું કરે ? તુલના કરે જરા! ધન ને મોહ શું ન કરાવે તમને ? ચાર પકડાય જાય તે રાજી થાઓ ને? કે નારાજ થાઓ? અરે! ન પકડાઈ તે એ ચોરને પકડાવવા માટે તમે આકાશપાતાળ એક કરાવે. કેમ ખરું ને ? સભામાંથી : ચારને તે સજા થવી જ જોઈએ ને? મહારાજશ્રી ઃ એ વિચારતા પહેલાં એ વિચારે કે માણસને ચિરી શા માટે કરવી પડે છે ? ચોરીના પાપથી માણસને બચાવી શકાય છે કે નહિ? સજા કરવાથી, મારપીટ કરવાથી ચેર ચેરી કરવાનું છોડી દેશે એમ તમે નિશ્ચિત કહી શકે છે? ના. તે ચોરી કરનાર કરુણાને પાત્ર છે. પછી તે છે સજાને પાત્ર. સજા કરવામાં ય કરુણા હોવી જોઈએ. તેના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. સજા પણ ચેરીનું પાપ છેડે તેવી ભાવનાથી કરવી જોઈએ. સુવ્રત શેઠ તે વિચારે છે કે “ગેરેને સજા ન થવી જોઈએ. તેમને હું બચાવી લઉં. તેમને હું પ્રેમથી સમજાવીશ, જેથી ભવિષ્યમાં તેઓ કદી ચેરીનું પાપ ન કરે. આવી ઉત્તમ કરુણાથી સુવ્રત શેઠ ઉપવાસનું પારણું કરવા પણ ન રેકાયા અને સીધા પહોચ્યા રાજાની પાસે. રાજાને સુવત શેઠ માટે માન અને આદર હતા. રાજાએ શેઠનું સ્વાગત કર્યું અને સવાર સવારમાં આવવાનું કારણ પૂછયું. શેઠે ચેરે માટે અભયદાન માંગ્યું. એટલામાં કેટવાળ પણ ચોરેને લઈને આવી ગયે. સુવ્રત જેવા ધર્માત્માના ઘરમાં ચોરી કરનાર ચેરને જોઈ રાજાને ખૂબ જ ગુસ્સે ચડે. પરંતુ સુત્રએ રાજાને શાત કરતા કહ્યું કે મહારાજા ! આ ચારેને કઈ જ વાક-ગુને કે દેષ નથી. દેષ મારે જ છે. મારા જેવા ધનાઢયે આ દુ ખ લોકેના દુખ દુર કરવાની કોઈ ચિંતા ન કરી આથી તેમને આ પાપકર્મ કરવા વિવશ બનવું પડયું. આપ તેમને છોડી મૂકે. હું તમને ખાતરી આપું છું કે હવે આ લેકે કદી ચોરી નહિ કરે. તેમને જે જોઈશે તે આપીશ.”
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy