SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૭ : ૩૭ આ સાંભળીને ચંદ્રશે વિનયથી કહ્યું : “હે પરમ ઉપકારિણી તપસ્વિની માતા ! આપે અહીં પધારીને અમને બંનેને ઘેર પાપમાં પડતા ઉગારી લીધા છે. જેમ પિતાજીને અતિમ સમયે ધર્મ સભલાવી તેમને દુર્ગતિમાં જતાં બચાવી લીધા તેમ અમને પણ અણીના સમયે ધર્મોપદેશ આપીને દુર્ગતિમાં જતા બચાવી લીધા છે. આપે અમારા પર ખરેખર આ મહાન ઉપકાર કર્યો છે.” નમિરાજાએ પણ કહ્યું : “હે તપસ્વિની માતા! આજ તે હુ આપના દર્શન કરીને ધન્ય બની ગયે. આપના દર્શનથી મને એક સાથે મારી માતા અને મોટાભાઈ બંનેનું સુભગ મિલન થયું. સાચેજ મારા મોટાભાઈ દેવ જેવા છે. તેમની જ્ઞાનદષ્ટિ, તેમને વૈરાગ્ય, તેમની ઉદારતા આ બધુ જોઈને મારુ હૈયુ તેમને વાર વાર નમી રહ્યું છે. પછી ચદ્રયશે સાધ્વીજીને પોતાની સંસારત્યાગની ભાવના જણાવી. સાદવીજીની આંખોમાં આનંદનાં આંસુ ઉભરાઈ આવ્યાં. કહ્યું : “વત્સ! તારો નિર્ણય યાચિત છે. માનવજીવનમાં ચારિત્રધર્મની આરાધના કરી લેવી એ પરમ કર્તાય છે. જીવન ક્ષણિક છે. આયુષ્યનો ભરોસો નથી. સંસારનાં ભેગસુખ તે દુર્ગતિમાં લઈ જનાર છે. આથી તું જરા પણ પ્રમાદ કર્યા વિના હવે તારી ભાવનાને સાકાર કરી - રાવજીની પ્રેરણાથી ચંદ્રયશને વધુ બળ મળ્યું અને તેણે નમિતે રાજકારભાર સેંપી દઈને ચારિત્રધર્મ અગીકાર કરી લીધો. અને આત્મસાધનાના માર્ગ પર ચાલી નીકળ્યા. સાદેવીજી પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. મદનરેખાની ભાવ-કરુણાએ બે આત્માને દુર્ગતિમાં જતા રેકી લીધા અને બંને આત્માઓ વચ્ચે સદૂભાવ પેદા કર્યો. ચદ્રશે જીવનનું આમૂલાગ્ર પરિવર્તન કર્યું. તેણે તે પિતાના જન્મ જન્માંતર સુધારી દીધા. એ સમયે સાધ્વીજી એમ વિચારતી કે મારે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy