SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૭ ત્યાગમા જવા માટે પુણ્યોદય જરૂરી ચદ્રયશના હૈયે વર્ષો સુધી વૈરાગ્યના ભાવ રહ્યા છતાંય તે સંસાર ત્યાગ ન કરી શકો! સંસારત્યાગ માટે પણ સાનુકૂળ સંજોગો જોઈએ છે સાનુકૂળ સંજોગ માટે એવું પુણ્યકર્મ અપેક્ષિત છે. પુણ્યકર્મ વિના સાનુકૂળ સાગ મળતા નથી અને ત્યાગ–માર્ગે જઈ શકાતું નથી. કહેવાનો આશય એ છે કે હૈયે વૈરાગ્યના ભાવ હોવા છતાંય માણસ પ્રતિકૂળ સોગમાં સંસારને ત્યાગ નથી કરી શક્ત. જંબૂકુમારને પૂર્વભવ રાજકુમાર શિવકુમારને હતે. તે જાણે છે ને? શિવકુમારના હૈયે વૈરાગ્યને ઘેરે રંગ ઘૂંટાયે હતો સંસારત્યાગ કરવાની પ્રબળ ભાવના હતી. બાર બાર વરસ સુધી ઘેર તપશ્ચર્યા કરી છતાંય સ યમ જીવન ન પામી શક્યા! ત્યાગ-માર્ગે ન જઈ શકાયું! મણિરથના મૃત્યુ બાદ ચંદ્રયને રાજ્યકારભાર સંભાળ પડે. બીજો કોઈ રાજકુમાર ન હ કે જેને રાજા બનાવી શકાય ! અને ચંદ્રયશને રાજગાદીએ બેસવું પડ્યું. વિરક્ત હૃદય હોવા છતાં તેને સંસારના ખેલ ખેલવા પડયા! આજ તેને સાનુકૂળ સંગ મળી ગયા. ત્યાગ–માર્ગે ચાલવા માટેનો અવસર મળી ગયે. રાજ્યની જવાબદારી ઉપાડનાર નાનો ભાઈ મળી ગયો! માતા–સાધ્વીનું પણ મિલન થઈ ગયું. તેણે નમીને કહ્યું : ભાઈ..મારું મન હવે સંસારથી ઉઠી ગયું છે. હું માતાના .૫ગલે ચાલવા માંગુ છું. માનવજીવનમા જ મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. શાશ્વ-અવિનાશી સુખને પામવાનો પુરુષાર્થ હવે કરી લે છે. મનનાં કોઈપણ ખૂણે હવે સંસારના ક્ષણિક અને નાશવત સુખો.પ્રત્યે કઈ જ આકર્ષણ નથી રહ્યું. તો તુ, આ રાજ્ય સંભાળી લે અને મને મેક્ષના માર્ગે જવા દે. નમિ રાજા ચઢયશની વાત ધ્યાનથી સાંભળે છે. તેના હૈયાને ૩૯ આ વાત જચે છે. તેના મનમાં વિચાર આવ્યું હશે કે લેવા તો
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy