SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના દુખી છ પ્રત્યે અસીમ કરૂણ હેવી અનિવાર્ય છે. દયા અને કરુણા વિના ધર્મક્ષેત્રમાં પ્રવેશ નથી મળતું. બીજો માણસ ભૂખથી મરી રહ્યો હોય અને તમે મઝાથી મેવા-મીઠાઈ ખાઈ શકે છે ? બીજે માણસ નગ્ન ફરતે હોય અને તમે સેળ શણગાર સજી શકે છે? બીજે માણસ રસ્તા વચ્ચે ધૂળમાં સૂતે હોય અને તમે આરામથી ડનલોપની પથારીમાં સૂઈ શકે છે? બીજે માણસ રોગ અને બિમારીમાં કણસી રહ્યો હોય અને તમે મહેફીલમાં મોજ માણી શકે છે? આ બધા પ્રશ્નને તમારે જવાબ હા’ માં જ હોય તે તમારું હૈયું નિર્દય છે. કરુણાહીન છો તમે. તે તમે પરમાત્મા જિનેશ્વરદેવને ધર્મ પામવાને પાત્ર નથી. પાત્રતા વિના ધર્મ પામી નથી શકાતે. યોગ્યતા વિના ધર્મ આત્મસાત્ કરી નથી શકાતે. બીજાના દુઃખથી તમને દુઃખ થતું હોય, બીજાનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરતા હે, પિતાનું સુખ જતું કરીને, જાત ઘસીને પણ બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરતા હે તે તમે સુપાત્ર છે. ધર્મ માટે સુગ્ય છે. તે તમારા કેમળ અને દયાળુ હૃદય મંદિરમાં ધમને પ્રવેશ થશે. એ તે જાણે છે ને કે મૃદુ જમીનમાં પાણી ઉતરી જાય છે જ્યારે પથરાળી જમીનમાં પણ પ્રવેશ નથી પામતું. દુખી જીના બે પ્રકાર : સંસારમાં બે પ્રકારના દુખી જ હોય છે. એક દ્રવ્યથી દુખી, બીજા ભાવથી દુખી. જેમની પાસે ખાવાને ધાન નથી, પીવા માટે પાણી નથી, પહેરવા કપડાં નથી, રહેવા ઘર નથી, આ બધા દ્રવ્યથી દુખી છે. રેગ, અપંગતા, નિર્ધનતા, ટૂંકમાં કહીએ તે ભૌતિક પદાર્થોને અભાવકે અપૂરતા પદાર્થો હોય તે દ્રવ્ય-દુખ છે. અર્થાત્ આ બધા બાહ્ય દુ ખ છે. તે પ્રમાણે જેમના જીવનમાં ધર્મ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy