SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૫ ખર્ચની ગણતરી ત્યારે નહિ મંડાય આચાર્યદેવે પિતાના “ડશક ગ્રન્થમાં ચાર પ્રકારની કરૂણા બતાવી છે: ૧. મોહયુક્ત કરુણ, ૨. અસુખકરુણુ, ૩. સવેગ કરણ, ૪, અન્યહિત કરુણા- આ ચારેય કરૂણને બરાબર સમજી લે. કરૂણાનું આવું તલસ્પર્શી વિવેચન બીજા ગ્રન્થામાં જોવા નહિ મળે. શ્રી હરિભદ્રસૂરિજીએ શિક ગ્રંથમાં ખૂબ જ મનોવૈજ્ઞાનિક ઢબે તેનું સરસ અને વિસ્તૃત વિવેચન કર્યું છે. ૧. મોહયુક્ત કરુણ: મોહને અર્થ છે અજ્ઞાનતા. કરૂણા અજ્ઞાનમૂલક પણ હોય છે ! જેમકે એક મા છે. તેને પુત્ર બિમાર પડે છે. હેકટરે કહ્યું છે કે આ બાળકને તળેલું ખવડાવવું નહિ. મિઠાઈ પણ ખાવા ન આપવી. હવે, ઘરમા ફરસાણ અને મિઠાઈ બની છે. પુત્ર તે ખાવા જીદ કરે છે, રડે છે. માથા પછાડે છે. મા થી એ વાતું નથી. પુત્ર માટે તેને અનહદ પ્રેમ છે. આથી કરૂણાથી મા બાળકને મિઠાઈ ખાવા આપે છે. આ અજ્ઞાનમૂલક-મેહજન્ય કરૂણા છે. મને ખબર નથી, જ્ઞાન નથી કે મિઠાઈ ખવડાવવાથી બાળકની બિમારી વધુ વકરશે. સારવારનું અજ્ઞાન હોવાથી તે મિઠાઈ ખવડાવે છે. દયાથી કરૂણાથી બિચારે! કે રડે છે મિઠાઈ ખાવાથી શું થઈ જવાનું છે? ભલે ખાતે બિચારે!” આમ અજ્ઞાનતાથી–મેહથી કરૂણ લાવીને તે ખવડાવે છે. આ થઈ મેહયુક્ત કરૂણ ર. અસુખ-કરુણ : અસુખ એટલે દુખ, જેની પાસે સુખના સાધન નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, ખાવા માટે અનાજ નથી-આવા માણસને રેટી-કપડાં મકાન વગેરે આપવા તે કરૂણાને બીજો પ્રકાર છે. એ જ પ્રમાણે કઇ બિમારની સારવાર કરવી, આફતમાં સપડાયેલાઓને સહાય કરવી વગેરે કરૂણાને અસુખ-કરૂણામાં સમાવેશ થાય છે. બીજાના દુઃખને દૂર કરવાની ભૌતિક દુઓને દૂર કરવાની
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy