SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંબંધમાં કલ્યાણમિત્રતા રાખો : આ જીવનમાં સંબંધ બાંધે તે આવા બાંધે. પત્ની માત્ર. પતિની પત્ની જ ન બની રહે. તે પતિની કલ્યાણમિત્ર પણ બને. પતિ માત્ર પત્નીને પતિ જ બને તે પૂરતું નથી, પત્નીનો તે હિતમિત્ર પણ બને માત્ર આ જીવનના જ સુખ-દુખના વિચાર ન કરે રિલેકના પણ સુખ દુઃખને વિચાર કરે. પત્ની વિચાર કરે કે મારા પતિને પરલેક બગડે ન જોઈએ. હું તેને એ સહયોગ આપું કે તેનું જીવન ધર્મમય બન્યું રહે એ પ્રમાણે પતિ પણ વિચારે કે “મારી પત્નીનો આલેક અને પરલેક બંને સુધરે શ્રેષ્ઠ અને આદર્શ મૈત્રી આ જ છે આવી મૈત્રી અનેક જન્મ સુધી અખંડ રહે છે. નિર્વાણ-પ્રાપ્તિ સુધી આ મૈત્રી-સંબંધી અખંડ રહે છે. પાંચ ઈન્દ્રિયના વિષય-સુખના આદાન-પ્રદાન સુધી જ મૈત્રી રહે તે એવી નથી. “તું મને સુખ આપ. હું તને સુખ આ મું –આ મૈત્રી નથી. મૈત્રી તો દુખ દેનારને પણ સુખ આપવાની ભાવના છે. સર્વ જીને આત્મવત, માની તેને પ્રેમ આપવો તે મેત્રી છે. મૈત્રીમાં સનેહ હોય જ છે નેહહીન મિત્રતા સંભવિત નથી. હિતચિંતા રૂપી સ્નેહનું ઝરણું સર્વ જીવોના આત્માને પખાળતું સતત વહેતું રહેવું જોઈએ. મદનરેખા સાથેની યુગબાહુની મૈત્રીને “ઉપકારી-મૈત્રી' કહી શકાય. “મારા ઉપકારીના ઉપકારને બદલે ચૂકવું. તેને પ્રત્યુપકાર કરું. તેનું ઋણ અદા કરું' આ વિચાર મૈત્રી ભાવનાને ઘાતક છે. ઉપકારી પ્રત્યે સનેહ કાયમ રહે એ વિશિષ્ટ ગુણ છે. હા, આ દુનિયામાં આ ગુણ દુર્લભ છે. વિરલ છે. ઉપકારીના ઉપકાને ભૂલી જવામાં આજનો માનવી પાવર બની ગયો છે એક વાત યાદ રાખે છે જે માણસ ઉપકારીના ઉપકારને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy