SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૫ : ર૫ મદનરેખા એ મુનીશ્વરનું શરણું લઈને મણિપ્રભથી છુટકારો મેળવી શકે! મણિપ્રભ પોતાના પિતા મુનિરાજનું ઉલ્લંઘન ન કરી શકે! કારણ કે તેણે અગાઉ કહ્યું હતું કે પિતે પિતા મુનિરાજના વંદન કરવા જઈ રહ્યા છે. આને અર્થ એ થયો કે તેના હૃદયમાં પિતા નિ પ્રત્યે શ્રદ્ધા અને સદૂભાવ હતું. આથી તે મુનિરાજનું વચન કેવી રીતે ઉત્થાપી શકે? બીજી વાત ? મુનિરાજ મદન રેખાની શીલરક્ષા કરવામાં સહાયક બને જ ! મુનિ તે હંમેશા શીલરક્ષાના જ પક્ષમાં હાય! પિતાને જ પુત્ર પરસ્ત્રીગામી બને એ મુનિરાજ કદી પસંદ ન કરે. મદનરેખાએ નન્દીવરદ્વીપ જવાની વાત મૂકી તેની પાછળ આ બધી ગણતરી હતી જ, અને એ સાચી–બરાબર ગણતરી હતી. સાચા માર્ગે ચાલનારાઓને, શીલરક્ષાના પવિત્ર ઉદ્દેશ્યથી જીવનારાઓને સંકટ સમયે પણ ગ્ય ઉપાય મળી જ આવે છે. મદનરેખા નંદીવર-દ્વીપ ઉપર મણિપ્રભ મદનરેખાને લઈને નન્દીશ્વરદ્વીપ પડશે. ત્યાંના અતિ ભવ્ય શાશ્વત જિનમંદિરને જોઈને મદનરેખા તે ખૂબજ પ્રસન્ન થઈ ગઈ. અતિ નયનરમ્ય વિકરાટકાય જિન-પ્રતિમાઓના દર્શન કરી તેને આત્મા નાચી ઊઠશે. બંને જણાએ ખૂબજ ભાવભક્તિથી પરમાત્માની સેવા-પૂજા કરી. પછી તેઓ જયાં યુનિરાજ મણિચૂડ બિરાજમાન હતા. ત્યાં ગયા. બંનેએ વિનયથી મુનિરાજને વંદના કરી અને વિધિપૂર્વક તેમની સન્મુખ બેઠાં. મુનિરાજ મણિચૂડને ચોથું જ્ઞાનમન પર્યવજ્ઞાન થઈ ગયું હતું. એ મુનિ ભગવંત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને મન-પર્યાવજ્ઞાન-આ ચાર જ્ઞાનના ધારક હતા. તેમના દિવ્ય અને વિમળ મુખારવિંદના દર્શન કરીને મદનરેખાનું હૈયુ હર્ષથી ગદ્ગદ્ થઈ ગયું, અવધિજ્ઞાન એવું આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોય છે કે ભૂતકાળ અને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy