SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જ જેતું હૈયુ દયા અને કરુણાથી સભર હોય છે, જેના | હૃદયમાંથી વેરવૃત્તિ નામશેષ થઈ ગઈ હોય છે, એવા માણસ પાસે આવનાર હિંસક પશુ અને હિંસક માણસ પણ અહિંસક બની જાય છે. જ દેવલોકમાં જનારા જીવે ત્યાં જઈને દેવલોકનાં દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્યભવના પિતાના સ્નેહી-સ્વજનેને તે ભૂલી જ જાય, પણ પોતાના ઉપકારીને પણ ભૂલી જ જાય છે! * ઉપકારી પ્રત્યે સ્નેહ કાયમ રહે એ વિશિષ્ટ ગુણ છે. હા, દુનિયામાં આ ગુણ દુર્લભ છે. વિરલ છે. } : ઉપકારી-મૈત્રી ધર્મારાધનાની આધારશીલા છે. પ્રવચન/૧૫ મહાન શ્રતધર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મતત્વનું વરૂપ સમજાવી રહ્યા છે. સમજાવવાની તેમની ઢબ અને રીત કઈ અનેખી જ છે! ૧૪૪૪ ધર્મગ્રન્થની રચના કરનારા તેઓ મહાન શાસકાર તે હતા જ, સાથોસાથ તેઓ ઘણા મોટા અને વૈજ્ઞાનિક પણ હતા. અદ્વિતીય તાર્કિક હતા. તેમની વાતે ફલાસીકલ છે. તેમની દરેક બાબત સાયકલ છે. તેમનું એકેએક વાકય લેજીકલ છે ? કલ્પના કરો આ ગીશ્વરનું વ્યકિતત્વ કેવું પ્રભાવી હશે. તેમની પ્રતિજ્ઞા કેવી સવૉસુખી હશે ! તમારી ક્રિયા ભલે શાસ્ત્રીય હાય, વિધિપૂર્વક તમે એ ક્રિયા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy