SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના મણિરથને કેમ આવ્યા? શા માટે તેણે ભાઈની હત્યા કરવાનું વિચાર કર્યો ? જડ-પૌગલિક દેહ-રૂપનો રાગ તેને ભાન ભુલાવી રહ્યો છે. સ્વજન મૈત્રીને આ જડ–રાગ હિંસા કરાવી રહ્યો છે. જડ-પદગલિક પદાર્થોને રાગ, પાંચ ઈન્દિના પ્રિય વિષયને અનુરાગ કેટલે અનર્થકારી છે, તે તમે જરા ગંભીરતાથી સમજે. ચારે ય પ્રકારની મૈત્રીને મોતને ઘાટ ઉતારનાર છે. આ વિષયરાગ! આથી જ તમને કહું છું કે વિષયાધ ન બને. વિષયાંધ જીવોના હૈયે ધર્મ હોઈ શક્તો જ નથી. વિષયાંધ માણસોનું ચિત્ત મલિન હોય છે. રાગ-દ્વેષ અને મેહથી મલિન ચિત્તમ ધર્મ નથી તે. શુદ્ધ ચિત્તમાં જ મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માથરણ્ય ભાવનાં ધર્મ-પુષ્પ ખીલે છે. મદનરેખાના શુદ્ધ ચિત્તમાં ધર્મનું પુષ્પ ખીલ્યું છે. મૈત્રી પ્રદ આદિભાવનાઓથી મદનરેખાનું તન-મન સુવાસિત છે. મણિરથનું ચિત્ત રાગ, દેવ અને મેહથી દુધમય છે. તેના ચિત્તમા તે “યુગબાહને કેવી રીતે મારી નાંખુ મારી બદનામી ન થાય અને તે મારા માર્ગમાથી કેવી રીતે હટી જાય. આજ વિચાર સતત દેખાય છે. મદન રેખા ગર્ભવંતી બને છે? એક દિવસ મદન રેખાએ સુગખાને કહ્યું. “નાથ ! આજ મેં સ્વપનમાં ચન્દ્રને જે.” યુગબાહુએ કહ્યું : “દેવી ' તું ચન્દ્ર જેવા સૌમ્ય, પ્રસન્નવદન અને સર્વજનવલલભ એવા પુત્રને જન્મ આપીશ.” સ્વપ્નને સંકેત જાણી મદન રેખાને ખૂબજ આનંદ થયે. ત્રણ મહિના થયા ત્યારે મદન રેખાના ચિત્તમાં સારા સારા ને ઉમદા ભાવે જાગવા લાગ્યા. ઉત્તમ જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારે માતાના હૈયે પવિત્ર અને ધાર્મિક ભાવનાઓ જાગે છે. ગર્ભ જીવને પ્રભાવ માતાના મન પર પર પણ પડે છે. ગર્ભસ્થ જીવ ને પુણયશાળી હોય છે, પવિત્ર અને ધાર્મિક હોય છે તે માતાને પણ સારી સારી ભાવનાઓ થાય છે. અને જે ગર્ભસ્થ જીવ પામી કુર અને નિર્ણય હોય છે તે માતાના મનમાં દુષ્ટ અને ખરાબ વિચારે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy