SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૩ : રેરેસ્ટ સભામાંથી ? આવા અપાય તે અમારા લોકોના જીવનમાં ઘણા થઈ જાય છે. અપરાધોમાંથી બચવું મુશ્કેલ લાગે છે. મહારાજશ્રી : અપરાધેથી બચવું મુશ્કેલ લાગે છે, તે એ અપરાધની સજામાથી છટકવાનું અસંભવ જ સમજજે ! જ્યાં સુધી એ અશુદ્ધિઓને જોશે નહિ, ત્યાં સુધી એને દૂર કરવાને વિચાર નહિ આવે. અને તેને દૂર કરવા માટે તમે પુરૂષાર્થ પણ નહિ કરી શકે. અશુદ્ધ અને અશકત ચિત્તથી તમે ગમે તેટલી ક્રિયાઓ કર, તે પણ તે ધર્મ નહિ કહેવાય. પાપવિચાર પ્યારા લાગે છે ? તમે જે બીજા ના હિતને વિચાર નથી કત્તા અને તેમનું અહિત વિચારે છે, તમે ગુણવાન પુરૂષના ગુણની પ્રશંસા નથી કરતા અને જો તમે તેમની નિંદા કરે છે, તમારા હૈયે દુખી જીવે પ્રત્યે દયા-કરૂણા નથી અને તમે જે એવા જી પ્રત્યે કઠોર અને નિય છે, તમે જે પાપી જીવની વૃણ કરે છે અને તેમના પ્રત્યે મધ્યસ્થભાવ નથી રાખતા તે તમારું કઈ પણ અનુષ્ઠાન, તમારી કેઈ પણ ક્રિયા ધર્મ નહિ બની શકે તમે જે સાચા અર્થમાં, યથાર્થ સ્વરૂપમાં ધર્મસાધના કરીને મળેલું દુર્લભ માનવજીવન સફળ કરવા ઈચ્છતા હૈ, આત્મવિકાસ કરવાની ભાવના હોય તે સર્વપ્રથમ તમારા ચિત્તને, તમારા મનને, તમારા હૃદયને શુદ્ધ કરે, અશુદ્ધ વિચારેખરાબ વિચારે કાંટાની જેમ પીડા કરતા લાગશે ત્યારે જ તમે એ ખરાબ વિચારને દૂર કરી શકશો. પણ હજી તે તમને એ અશુભ અને અશુદ્ધ વિચારે-પાપ વિચારે કુલ જેવા રૂપાળા અને સુગંધી લાગે છે. કેમ ખરું ને? જડ ભૌતિક પદાર્થોને રાગ જ તે જીવો પ્રત્યે દ્વેષ કરાવે છે, બીજ છના સુખના હિતના, કલ્યાણના વિચાર કેમ નથી આવતા ? માત્ર તમારા જ સુખના, માત્ર તમારા જ હિતના અને સ્વાર્થના વિચાર કેમ કરે છે? કારણ કે તમને રાગ છે, જડ પદાર્થો માટે!
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy