SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ યુવચન–૧૨ : ૨૭ માંસભક્ષણ નહિ કરું. રાત્રિભોજનને પણ ત્યાગ કરીશ અને એના એક વાત કહું? તારા ઉપકારને તે હું કયારેય નહિ ભૂલી શકું? અને તે પથમિણીના ગળે વળગી પડી. પથમિણની આંખમાં પણ હર્ષના આંસું આવી ગયાં. ગુણવાનેને ગુણેજને પ્રત્યે પ્રેમ થઈ જ જાય છે. રાણમાં કૃતજ્ઞતાને શ્રેષ્ઠ ગુણ હતા તેણે પથમિણીમાં ઘણું ગુણ જોયા હતા. પથમિણીના ઉપકાર તે કેમ કરીને ભૂલી શકે? પથમિણીએ કહ્યું: “રાણી 1 તું કેટલી સારી છે! તારી ભાવનાઓ કેટલી પવિત્ર અને મંગળ છે' તું મને ભૂલી જશે તો ચાલશે પણ જિનધર્મને કદીય ભૂલતી નહિ. હૃદયમાં તેને સ્થિર કરજે. મેં તે તારું કશું જ નથી કર્યું. ધમેં જ તારી રક્ષા કરી છે. જેયું ? પથમિણીએ શું કહ્યું કે કેટલી નિરભિમાની નારી હશે? બ્રહ્મચારિણું તે હતી જ. નિરભિમાની અને ગુણિયલ હતી. શ્રાવિકા હતી. લીલાવતીના હૃદયમાં તેણે જિનધર્મની સ્થાપના કરી દીધી. સાત દિવસને જતાં કેટલી વાર? સાતમા દિવસે મહામંત્રીએ મહારાજાને મંગળ સમાચાર આપ્યા. “રાજન ! રાણી લીલાવતીની ભાળ મળી ગઈ છે, અને તેઓ મારી હવેલી પર આવી ગયાં છે. આપ આજ્ઞા કરે તે તેમને મહેલમાં લઈ આવું.” રાજાએ તરત જ કહ્યું : “ના, હું પોતે જ તમારી હવેલીએ આવું છું. મહામંત્રી એથી ખૂશ થઈ ગયા. મહારાજા પેથડશાની હવેલી પર પધાર્યા. પથમિણીએ મહારાજાનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમને રાણી લીલાવતી પાસે લઈ ગઈ. રાણીને જોઈને રાજા આનંદવિભોર બની ગયા. તેમણે રાણીને ખૂબજ મૂલ્યવાન વસ્ત્રો ભેટ આપ્યાં અને બત્રીસ લાખ રૂપિયા ભેટ આપ્યા. ખૂબજ સન્માન સાથે રાણીને પિતાના રાજ મહેલમાં લઈ આવ્યા. લીલાવતીએ પાર્શ્વનાથ ભગવંતની સુવર્ણપ્રતિમા બનાવડાવી અને રેજ જિનપૂજા કરવા લાગી. રોજ શ્રી નવકાર મંત્રના જાપહચાન કરવા લાગી. હવે તે અણગળ પાણી નથી પીતી. રાત્રિભેજન
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy