SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એ સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રગટ કરવા માટે પ્રબળ સાધના કરવી પડે છે. શ્રમ જીવન સાધનાનું જીવન છે. જ્ઞાન, ધ્યાન, તપ અને આત્મદમનનું જીવન છે. શ્રમણ-જીવનમાં શ્રમણ સર્વજ્ઞતા અને વીતરાગતમાં બાધક કમેને નાશ કરવાની સાધના કરે છે. ભગવાન મહાવીર સ્વામીએ સાડા બાર વર્ષ સુધી આવી ઘેર અને ઉગ્ર સાધના કરી હતી સાધનાના ફળસ્વરૂપે તેમને સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપલબ્ધ થઈ હતી. પરમાત્મા સમક્ષ શ્રમણ-જીવનની ચિંતવના આ પ્રમાણે કરે; ભગવંત! આપે રાજવૈભવેને ત્યાગ કરીને, પાંચ ઇન્દ્રિયેના અનેક પ્રિય વિષયને ત્યાગ કરીને કઠોર સંયમ જીવન ગ્રહણ કર્યું. વર્ષો સુધી ઘર-ઉગ્ર તપશ્ચર્યા કરી, અપ્રમત્તભાવે થાન ધર્યું, સમતાભાવે અનેક ઉપસર્ગો અને પરિષહ સહીને કર્મને નાશ કર્યો. ખરેખર આપની સાધના વીરતાપૂર્ણ છે. કેવું ઉગ્ર આપનું આમદમન ! હે પરમાત્મા મારામાં પણ આવી વીરતા જગાડે. હું પણ કઠેર ધમસાધના કરીને કર્મોને નાશ કરું, સર્વજ્ઞ અને વીતરાગ મનું. એવી કૃપા પ્રત્યે ! તમે મારા પર વરસાવે ? બનવું છે ને સર્વજ્ઞ અને વીતરાગ અજ્ઞાનતા અને રાગ દશાથી અકળાઈ ગયા છે ને? તે અવસ્થાચિંતનમાં પરમાત્મા પાસે આ યાચના કરે. રોજ યાચના કરે. સાચા અંતરથી પ્રાર્થના કરે. કૈવલ્ય અવસ્થા છધસ્થ અવસ્થાનું ચિંતન આ પ્રમાણે કરવામાં આવે છે. જન્મ, રાજ્ય અને શ્રમણ અવસ્થાનું ચિંતન શરૂ કરે. પરમાત્મપૂજનમાં આ ચિંતન કરવાથી અપૂર્વ ભાલાસ જાગ્રત થશે. છધસ્થ અવસ્થાનું ચિંતન કર્યા બાદ કૈવલ્ય અવસ્થાનું ચિંતન કરવાનું છે. તીર્થકર પરમાત્માને સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપલબ્ધ થયા બાદ તેઓ ધર્મતીથની સ્થાપના કરે છે. સમસ્ત જીવોનું તેમને કલ્યાણ કરવાનું હોય છે. વિશ્વના છ પર તેઓ કે સર્વોત્તમ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy