SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૧ ૧૮૩ “મારે બનાવ્ :” – જે આપણને મેક્ષમાં મૂકી આપે, મોક્ષમાર્ગથી જોડી આપે તેને રોગ કહે છે. કહે, આ ગ તમને પસંદ પડે ને? પરમાત્મદર્શન અને પરમાત્મ-સ્તવન આ રોગ છે. દર્શન અને સ્તવન આપણને પરમાત્મ-તત્વ સાથે જોડે છે. દર્શનમાં તન્મયતા જોઈએ. સ્તવનમાં ભાવલીનતા જોઈએ. પ્રેમ અને ભક્તિ તન્મથતા તલ્લીનતા લાવે છે. મૂર્તિમાં સુદરતા ગમે કે ચમત્કાર? પ્રશ્ન : પરમાત્માની પ્રતિમા નયનરમ્ય અને આકર્ષક હોય છે તે તલ્લીનતા જલ્દી આવે છે. આપણે ત્યાં પરમાત્માની પ્રતિમાઓ એટલી સુંદર કેમ નથી હોતી ? ઉત્તર : પરમાત્માની પ્રતિમા મનહર અને મનભર હોવી જોઈએ એ વાત ખરી છે, પરંતુ આપણે પ્રતિમા સુધી આવીને અટકી જવાનું નથી. એ પ્રતિમાના માધ્યમથી આપણે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ધરવાનું છે. પ્રતિમાના આલંબનથી ઇયાન સુધી પહોંચવાનું છે. ધ્યાનમાં ઊંડા ઉતરતા જવાનું છે. માધ્યમ ઉત્તમ હશે તે પ્રવેશ સરળતાથી થશે. તમારા દર્શન, સ્તવન અને પૂજનનું લક્ષ્ય શું પરમાત્મા–વરૂપ સુધી પહોંચવાનું છે? નહિ. તમારું લક્ષ્ય, તમારી લાલચ ભૌતિક સુખ પામવાની છે! એક ગામમાં અમે ગયા હતા. ત્યાંના એક જિનમંદિરમાં અમે એક જિનપ્રતિમા જોઈ. તે ઘણી નાની હતી અને બેડોળ પણ હતી. એક મહાનુભાવને મેં પૂછયું: “આવી મૂર્તિ અહી કેમ રાખી છે? તેના દર્શન-પૂજાથી તમારા હૈયે કોઈ આનંદ અને આહલાદના ભાવ ઉમટે છે? જવાબમાં તેમણે કહ્યું: “આ મૂર્તિ ઘણી ચમત્કારિક છે. ઘણી જ પ્રાચીન છે.” ચમત્કાર! તમને લેકેને ચમત્કાર બતાડનાર ભગવાન વધુ કર મહારાજા ૨૫ પસંદ છે! ચમત્કાર બતાડનાર ગુરુ તમને ગમે છે! ચમત્કાર દેખા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy