SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪૯ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરમાત્મા સાથે સંબંધ બાંધવાની પદ્ધતિ સભામાંથી કનેકશન જ નથી લીધું પછી સલામતીને પ્રશ્ન જ નથી ઉભું થતું. મહારાજશ્રી ઃ ખરા બુદ્ધિશાળી છે તમે ! આત્માને પરમાત્મા સાથે જ્યાં સુધી હદયની ભૂમિકા પર પ્રીતિ-ભક્તિને સંબંધ નથી સ્થાપિત થયે ત્યાં સુધી પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગની આરાધના કેવી રીતે થઈ શકે? દરેક ધર્માનુષ્ઠાનના વિધિ-વિધાનનું ફીટીગ બરાબર કેવી રીતે થઈ શકે? બંને અપેક્ષિત છેઃ ફીટીંગ અને કફશનબંનેમાંથી એક પણ ન હોય તે પ્રકાશ નહિ આવે. બને અનિવાર્ય છે. મારું માને તે પ્રથમ કનેક્શન લઈ લે ! પછી ફીટીંગમાં તે જરાય વાર નહિ લાગે! આથી કનેકશનનું કામ, તેની કાર્યવાહી પહેલાં જ શરૂ કરી દે! કનેકશન લેવાનો પણ એક સરસ પ્રેસીજરકાર્યવાહી છે. પરમાત્માની સાથે સંબંધ બાંધવાનો છે' કેઈ મામુલી વાત નથી, ધારે છે તેટલું સરળ કામ નથી. હા, તમે કૃતસંકલ૫ બને પછી કંઈ જ મુશ્કેલી નથી. સંકલ્પ કરીને કામ શરૂ કરી છે. પરમાત્મા સાથે સંબંધ બાંધવાની ચાર ભૂમિકા છે. ૧. સ્મરણ, ર, દર્શન, ૩, સ્તવન, અને ૪, સ્પર્શન, સ્મરણ વ્યક્તિની ગેરહાજરીમાં થાય છે. સ્મરણ સારાનું થાય છે તેમ ખરાબનું પણ થાય છે. જેના માટે પ્રેમ હોય છે તેનું સ્મરણ મધુરતા જગાડે છે. સાથે સાથે વ્યાકુળતા પણ! આ વ્યાકુળતા પણ હાલી લાગે છે. તેમાં ન સંતાપ હોય છે, ન પરિતાપ. ન ઉગ હોય છે ન ઉકળાટ | વિરહ જન્ય વિહવળતા હોય છે તેમાં તને માને છે પરમાત્માને તમને વિરહ થયે છે? પ્રિયતમ પરમાત્મવિરહની વ્યાકુળતા અનુભવી છે કયારેય? વિરહજન્ય સમરણની સંવેદના હૈયે કદી ઘળાઈ છે ખરી? પરમાત્માનું મરણ થઈ જાય છે કે કરવું પડે છે? ધ્યાન રાખે કે સમરણમાં સંવેદન હોય જ છે. સંવેદનશૂન્ય સમરણ સમરણ નથી.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy