SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જેમની પ્રાર્થના કરાય છે તે છે, અરિહંત પરમાત્મા! પરમ+આત્મા =પરમાત્મા. તેમના સિવાયના બીજા બધા જ “અપરમ આત્મા છે. આપણે અપરમ આત્મા છીએ. અપરમથી પરમ બનવાની આરાધના એ જ ધર્મ-આરાધના છે. અપરમ આત્મા પરમ આત્માને પ્રણામ કરે તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, તેમનું ધ્યાન ધરે, તેમણે બતાવેલ માર્ગ પર પિતાનું જીવન જીવે તે અપરમ પરમ બની જાય ! કહે, નક્કી કરે,અપરમ રહેવું છે કે પરમ પણ બનવું છે? અપરમાત્મા રહેવું છે કે પરમાત્મા બનવું છે? પરમાત્મા તે બનવું છે, પણ મહારાજ! અમારામાં એવી શકિત કયાં છે? સાચી વાત. પણ ભાઈ ! શકિત આવે છે ક્યાંથી ? શું તે કંઈ આકાશમાંથી ટપકી પડે છે? યાદ રાખોઃ પરમાત્મભકિતમાથી જ શકિત પ્રાપ્ત થાય છે, માટે પરમાત્મભક્તિમાં લીન બને. એક અસાધારણ વિશેષતા ગ્રંથકારે “પરમાત્માને નમસ્કાર કર્યો છે. પરંતુ પરમાત્માના નામને ફડ નથી પાડો. નથી ભગવાન ઋષભદેવનું નામ લીધું, નથી વર્ધમાન સ્વામીનું નામ લીધું. નામ કેઈ પણ હય, તે હેવા જોઈએ પરમાત્મા! સર્વજ્ઞ અને વીતરાગ હોવા જોઈએ. અજ્ઞાનતા અને રાગ-દ્વેષથી સંપૂર્ણ મુક્ત એવા પરમાત્માને પ્રણામ કર્યો. જૈનધર્મની આ જ અસાધારણું વિશિષ્ટતા છે. આપણે સૌ જે આ અસાધારણ વિશિષ્ટતા સમજી જઈએ તે આજે જ, અબઘડી જ જૈન જયતિ શાસનમથઈ જાય. ગ્રન્થકારની વિનમ્રતાઃ મહાન તાર્કિક દિગગજ વિદ્વાન આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની વિનમ્રતા તે જુવે છે તેથી કહે છે: મેં આ “ધર્મબિન્દુ ગ્રન્થ મારી બુદ્ધિ-કલ્પનાથી નથી લખ્યો, શ્રુતસાગરમાંથી તત્વરને લઈને આ ગ્રન્થની રચના કરી છે. કેવી નિર્દોષ નિખાલસ અને નિરાડંબર વિનમ્રતા ! આ ખૂબ જ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy