SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરવી દેશના વધુ સુખ મળ્યું ખરું? ના! માણસની આ ભ્રમણા છે કે “બીજાને દુખી કરવાથી પિતાને વધુ સુખ મળશે. પણ વાત અને વાસ્તવિકતા આથી ઉલટી છે. બીજાનું સુખ છીનવી લેવાથી જે રહ્યું હું સુખ હેય છે તે પણ ચાલ્યું જાય છે પરંતુ અદેખાઈની આગમાં બળનારાઓને આ સત્ય કેવી રીતે સમજાવાય? સમજાવવા છતાંય તેઓ સમજવા તૈયાર જ નથી થતા ! માલવનરેશની રાણુ કદંબા પણ એવી જ હતી. લીલાવતી માટે રાજાને અભાવ થઈ જાય તે જ મારે માટે તેમને પ્રેમ વધે. નહિ તે આ ભાવમાં તે રાજાનું સુખ મને મળનાર નથી અને પ્રેમ વિનાની જિંદગીમાં બીજું શું છે? કદંબાની આવી વિચારધારા હશે. કદંબા એ પણ જાણતી હતી કે જ્યાં સુધી રાજા લીલાવતીને કઈ મેટે દેષ નહિ જુએ ત્યાં સુધી તેમને પ્રેમ એ છો નહિં થાય. દોષદર્શનથી જ પ્રેમ કરે છે? જ્યાં સુધી તમને આ સંસારમાં દેશદર્શન નહિ થાય ત્યાં સુધી સંસાર પરને તમારે મેહ નહિ છૂટે! આથી જ્ઞાની પુરુષે સંસારની ખૂબ ખૂબ નિંદા કરે છે. સંસારના અસંખ્ય દેષ બતાવે છે. તમારા મન પર એક પણ દોષની છાપ પડી જાય તે સમજી લેજે કે તમારે સંસાર-રાગ ખત્મ! ગુણદર્શનથી રાગ, દેવદર્શનથી વિરાગઃ સભામાંથી ? તે તે આપનું પ્રવચન સાંભળવામાં જોખમ છે! આપ સંસાર છોડાવીને જ રહેશે ! મહારાજશ્રી : સંસારમાં જોખમ છે–ડેન્જર' છે. તે નથી દેખાતું અને આ મહાપુરુષને અહીં જોખમ દેખાય છે! સંસારમાં ડગલે ને પગલે ભય છે. ક્ષણ ક્ષણ જોખમ છે, તે જાણે છે? અમારું કર્તવ્ય છે કે અમે તમને લેકેને આવા ખતરનાક જોખમભરપુર સંસારથી ઉગારી લઈએ. સંસારથી મુક્ત કરીએ. એટલું તે જરા સમજો કે સંસાર સુખપૂર્ણ અને યાતનાપૂર્ણ નહોત તે અમે સંસાર શું કરવા છેડ હશે? સંસારનાં સુખ જ ખતરનાક છે. અનંતા દેથી આ સંસાર ભરેલું છે. તમે લેકે સંસારમાં
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy