SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પાપાચરણ કરે છે, પ્રચૂર રાગ-દેથી પાપનું સેવન કરે છે તેમને જે કર્મબંધ થાય છે તે પ્રગાઢ હોય છે. તેમને એ પાપના કડવામાં કડવાં ફળ ભેગવવાં જ પડે છે. કર્મોને વિપાકેદય અને પ્રદેશદય. સભામાંથી કે તે શું એવાં કર્મ પણ બંધાય છે કે જે કર્મોના ફળ જીવને ભેગવવા ન પડે? મહારાજશ્રી : હા, એવાં પણ કર્મ બંધાય છે કે જે કર્મોનું ફળ જીવને ભેગવવું નથી પડતું. જવને ખબર પણ નથી પડતી કે તેના કર્મો ઉદયમાં આવ્યા છે અને એ નષ્ટ થઈ રહ્યાા છે! જેમકે તમે ઘરમાં સૂતા છે અને કેઈ ચૂપચાપ આવીને ચાલ્યું જાય, તમને એના આવ્યા–ગયાની ખબર પણ નથી પડતી. કને ઉદય બે પ્રકાર છે. વિપાકેદય અને પ્રદેશદય. જે કર્મને વિપાકેદય હોય તે કર્મ જીવને સુખ-દુઃખને અનુભવ કરાવે જ. જે કર્મને પ્રદેશદય હોય છે તે કર્મ છવને સુખ-દુઃખની અનુભૂતિ થવા દેતું નથી. એ કર્મ ઉદયમાં આવ્યું, કે નષ્ટ થયું, નથી તેનું કઈ જ સંવેદન જીવને થતું નથી. કહે, તમને કે કર્મોદય પસંદ છે? વિપાકેદય કે પ્રદેશદય? કર્મના આ બે પ્રકારના ઉદયની વાત તે તમે સમજી ગયા ને? ધર્મઆરાધનાથી જે કર્મ બંધાય તે કર્મોને વિપાકેદય થાય તે સારા અને પાપાચરણથી જે કર્મ બંધાય તેને પ્રદેશદય થાય તે સારે! પણ કમેના ઉદયમાં આપણું કંઈ જ ચાલતું નથી. આપણું ચાલી શકે માત્ર કર્મ બાંધવામાં. જેવા ઉદયની ઈચ્છા હોય તેવા કર્મ બાંધવા જોઈએ. તમે મન-વચન અને કાયાથી ધર્મારાધના કરશે તે તેવાં કર્મ બંધાશે કે એને વિપાકેદય થવાને. મતલબ કે તમને એ કર્મો સુખને અનુભવ કરાવશે. ભરપૂર પ્રેમથી દાન આપ્યું, છલકાતી દયા-કરૂણાથી પોપકાર કર્યો, ઘૂઘવતા શુભ ભાવથી
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy