SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વન * ૧૫૧ તથા ભક્તિભાવ વગેરે શુભ ભાવ જાગ્રત કરે છે. અર્થાત્ શુભ ભાવેની જાતિમાં તે નિમિત્ત બને છે. આથી એ મૂર્તિ દર્શનીય, અને પૂજનીય બને છે. જેનાથી આપણને શુદ્ધ ભાવેની પ્રાપ્તિ થાય, આપણા માટે તે વંદનીય અને પૂજનીય બને છે. જેનાથી આપણને શુભ ભાવની પ્રાપ્તિ થાય તે આપણા માટે વદનીય અને પૂજનીયા આ કૃતજ્ઞતા ગુણ છે. ઉપકારી પ્રત્યે સન્માનની દષ્ટિ, પૂજયદષ્ટિ થયા વિના આપણે ધાર્મિક નથી બની શકતા. શું માનવતાથી પણ ગયા '' નિમિત્તને ઉપકાર તે માનવું જ પડશે. નિમિત્તાને જે ઉપકારી નહિ માને તે પછી ગુરુને પણ ઉપકારી નહિ માની શકે. ગુરૂ પણ નિમિત્ત માત્ર છે. સભામાંથી ? ગુરૂ તે ચેતન છે ને? મહારાજશ્રી ઃ તે જેટલા ચેતન છે તે સૌને ગુરૂ માની લે! કૂતરે પણ ચેતન છે, તેને ગુરૂ માની લે ! કૂતરા અને ગધેડામાં ચૈતન્ય હોવા છતાંય તેને કેમ ગુરૂ નથી માનતા? કારણ કૂતરે કે ગધેડે તમારા મનમાં ઉચભાવ પિદા નથી કરતા. અર્થાત્ ઉત્તમ ભાવેની જાગૃતિમાં તે નિમિત્ત નથી બનતાં. હા, કેઈના આત્મવિકાસમાં કુતરે પણ નિમિત્ત બની જાય તે એ કૂતરે પણ ગુરૂ બની જાય. નિમિત્ત જડ છે કે ચેતન, તે મહત્ત્વનું નથી. મહત્વનું તે છે કે કેણ શુભ ભાવ જગાડે છે ! મહામંત્રી પિડિશાના હૈયે બ્રહ્મચર્ય–વત પ્રત્યે આદર હતું. આથી બ્રહ્મચારી ભીમ શ્રાવક પ્રત્યે પણ આદર હતું. અને આ કારણે જ એ બ્રહ્મચારીની ભેટ પ્રત્યે પણ આદરભાવ જાગ્યે હતે. ખરેખર જે આપણે ગુણના રાગી ઈએ તે ગુણીજનો પ્રત્યે આપણને આદરભાવ થવાને જ, ગુણવાન પુરૂષની ઈર્ષ્યા થાય, તેમના પ્રત્યે તેજોષિ તિરસ્કાર આદિ કુત્સિત ભાવ હૈયે જાગે તે સમજવું કે આપણે ગુણાનુરાગી નથી, બ્રહ્મચર્ય એક ઉત્તમ ગુણ છે. એ ગુણ માટે આપણને આદર અને અનુરાગ છે, તે એ ગુણ જે જે વ્યક્તિમાં દેખાય તે તે વ્યક્તિ માટે આદર થવાને જ. અને જે વ્યક્તિ માટે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy