SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વચન-૪ ૧ ૧૪૧ ધ્યાન માટે મશાનમાં કયારે જઈ શકાય? પહેલાં મકાનમાં અખંડ રાત ધ્યાનમાં ઉભા રહેવાને અભ્યાસ કરવો જોઈએ. એ ધ્યાન સહજ-સ્વાભાવિક બની જાય પછી કડકડતી ઠંડી તે નિર્વસ્ત્ર બનીને અખંડ રાત ધ્યાનને અભ્યાસ કરે જોઈએ. શરીર ઠંડી સહન કરી શકે ત્યાં સુધી ઉભા ધ્યાન કરવાને અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. પછી મકાનની બહાર બારણું આગળ ઉભા રહીને ઊભાં ઊભાં અપ ધ્યાન ધરવાનું. કૂતરા, બિલાડી, ઉંદર, વગેરે જતુ કે પશુએ રડે તે પણ હાલવાનું નહિ. ધ્યાનનું સ્થાન બદલવાનું નહિ. આમ સહજતાથી ઉપદ્રથી નિર્ભય બન્યા આદ, શેરીના નાકા પર રાતની વેળાએ કાત્સર્ગ ધ્યાન ધરવાનું. અહીં ચાર, ડાકુ, લૂંટારા કે ચેકીદાર આદિ હેરાન કરે, સતાવે તે નિર્ભયતાથી ચલિત થયા વિના ધ્યાન ધરવાનું ! કેટલાય દિવસ સુધી આ પ્રમાણે રાત્રિ-થાન ધર્યા બાદ અને તેમાં સહજ સફળ થયા બાદ, નિર્ભય અને નિષ્કપ રહ્યા બાદ નગરની બહાર નગરના દ્વાર પર ધ્યાનદશામાં રાત્રિ પસાર કરવાની. નગરની બહાર, નગરના પ્રવેશ-દ્વાર પર તે જંગલી પશુઓના ઉપદ્રવ પણ થઈ શકે છે. સાપ જેવા ઝેરીલા જંતુઓના ઉપદ્રવ પણ થઈ શકે છે. એ સમયે નિર્ભધ અને નિકંપ રહેવાને સતત અભ્યાસ કરવાને. અભ્યાસમાં સફળતા મળ્યા બાદ નિર્જનગૃહ ખંડેરોમાં જઈ રાતે 6યાન ધરવાનું. ખડા પગે ઉભા રહેવાનું પરમાત્મામાં જ મનને લીન રાખવાનું દેહભાવ ભૂલી જવાને. ખંડેરોમાં પશુ-પક્ષીઓના જે કંઈ ઉપદ્રવ થાય તેને શાંત ચિત્ત સહન કરવાના. ભૂત-પિશાચ-વ્યંતરના પણ ઉપદ્રવ થઈ શકે છે. એ સમયે જરા પણ ડરવાનું નહિં. ભયભીત નહિ બનવાનું. અહીં ખંડેરોમાં ભય પર વિજય મેળવ્યા બાદ સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાન કરવાનું છે. મશાનમાં તે અનેક પ્રકારના ઉપદ્રવની સંભાવના હોય છે પરંતુ ત્યાં સાધક સિંહની જેમ નિર્ભય અને અવિચળ રહીને પરમાત્મ-ધ્યાનમાં લીન બની રહે છે. જે રીતે અને જે પ્રકારે ઉપદ્રવ ઉપસર્ગ થઈ શકે છે એવા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy