SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ? મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માત્મતવનામાં લીન-તલ્લીન બનવું, “પ્રાર્થના સૂત્રના માધ્યમથી માનુસારિતાથી માંડી નિર્વાણ સુધી માંગવું અને હૈયે અપૂર્વ ભવે. લલાસથી સભર બની ઘરે પાછા ફરવું–આ તેમનું જનું ધમનુsષ્ઠાન હતું. માનવું જ પડશે કે આ પવિત્ર ધર્માનુષ્ઠાનના પ્રભાવથી જ પેથડશાહ કયારેય દુઃખમાં ગભરાયા નથી, દીન બન્યા નથી. દુઃખ અને સંકટ તે દરેક માણસના જીવનમાં આવે છે પરંતુ થોડાક જ ધીર અને વીર પુરુષ હોય છે કે જે દુખના પ્રસંગે દીન નથી બનતા અને રોકકળ કે હાય નથી કરતા. જેની પરમાત્મ-શ્રધ્ધા આત્માના એક એક પ્રદેશમાં વણાઈ ગઈ હોય તેને કઈ વાતને ભય ? એ તે અભય હોય છે અને બીજાને પણ અભય કરે છે મહામંત્રી પેથડશા એવા જ ધીર વીર મહાપુરુષ હતા. તે નિર્ભય હતા ગુણીજનેને આદર કરનારા અને પિતાના ઉચિત કર્તવ્ય કરવામાં નિત્ય ઉત્સાહી અને ઉમંગી હતા. ક્યારેય કોઈ ધર્માનુષ્ઠાનમાં આળસ નહિ. કંટાળો નહિ. થાક નહિ. પરમાત્મપૂજનના વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનને આ પ્રભાવ હતે તે ભૂલશે નહિ. અલબત વિધિ તેમના માટે સહજ-સ્વાભાવિક બની ગઈ હતી. તેમને એ વિચાર પણ નહિ આવતું હોય કે મારે આવી વિધિનું પાલન કરવાનું છે ! પરમાત્માની મૂર્તિના માધ્યમથી પેથડશાહ પરમાત્માના જ દર્શન કરતા હશે. નહિ તે પાષાણની પ્રતિમામાં આટલી બધી તલ્લીનતા સંભવે જ શેની ? પેથડશા પરમાત્માની પુ૫-પૂજા કરતા ત્યારે પરમાત્મા સાથે એટલાં બધાં તપ અને તદાકાર બની જતા કે તેમની બાજુમાં કેણ ઊભું છે, કેણ બેઠું છે, તેનું પણ તેમને ધ્યાન ન રહેતું. જયસિંહ માંડવગઢને રાજા હતા. બીજી કેટલાક ઈર્ષાળુ રાજપુરુષોએ પેથડશાહ વિરુદ્ધ રાજાના કાન ભંભેર્યા. રાજાને મહામંત્રી પર પૂરે વિશ્વાસ હતે. અદેખા લેકેએ રાજાને કહ્યું : “મહારાજ ! આપ ભલે પેથડશા પર વિશ્વાસ રાખે પરંતુ તે આપને પદભ્રષ્ટ કરી તમારી રાજગાદી પચાવી પાડવા પેતરા રચે છે.” રાજાએ પૂછયું : “આને કઈ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy