SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૮ : ૧૪૩ પરમાત્મદર્શન એક અનુષ્ઠાન છે. પરમાત્મ-પૂજન એક અનુ. ઠાન છે અનુષ્ઠાન એટલે ક્રિયા. એ અનુષ્ઠાનને ધર્મ બનાવવા માટે “યથાદિત જ્ઞાની પુરુષોએ જે પ્રકારે એ અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રકારે કરવું પડશે. એ પ્રકારે કરવા માટે તમારા મનમાં કોઈ કાર્યસિદ્ધિનું ધ્યેય હોવું જોઈએ. શ્રધ્ધા હેવી જોઈએ કે આ અનુષ્ઠાનથી મારી કાર્યસિદ્ધિ અવશ્ય થશે જ.” છે ને આવી શ્રદ્ધા? કાર્યસિદ્ધિનું દયેય રાખ્યું છે ને ? કયું કાર્ય સિદ્ધ કરવું છે? સુખ જોઈએ છે કે શુદ્ધિ ? શું મેળવવું છે સુખ કે શુદ્ધિ ? જ્ઞાની પુરુષએ, અનુભવી પુરુષેએ કહ્યું છે કે પરમાત્મપૂજનથી ચિત્તની વ્યગ્રતા અને વ્યાકુળતા દૂર થાય છે અને હૈયે અપૂર્વ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. વીતરાગની પૂજાથી રાગ-દ્વેષનાં તેફાન શાંત થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે કઈ ભય નથી રહેતું. કઈ વ્યાકુળતા નથી રહેતી. તમારે બનાવવું છે ને આવું ચિત્ત ? નિભય બનવું છે ને ? પરમાત્મપૂજનથી અવશ્ય આ કાર્ય સિદ્ધ થાય છે. લક્ષ્ય નક્કી કરી ધર્મક્રિયા કરે? ભૌતિક સુખેની પાછળ પાગલ ન બને. ઈન્દ્રિના વિષયસુખમાં ગુલત ન ન બને. વૈષયિક સુખમાં તે ઘર અશાંતિ અને સંતાપ જ મળવાના છે. વીતરાગની ભક્તિથી વૈષયિક સુખોની વાસનાને બાળીને ખાખ કરી નાખો લક્ષને નિર્ણય કરે જ પડશે. એ લક્ષની સિદ્ધિ માટે પરમાત્માના મંદિરે જાએ. દશન-પૂજનની વિધિ પ્રત્યે આદર અને આસ્થા રાખે. પરમ માને પરમ પ્રિયતમ માની તેનું શરણ લે. ગળે ઉતરે છે મારી વાત? મારી વાત જચતી હોય તે પરમાત્મપૂજનનું અનુષ્ઠાન “ધર્મ બની જશે. નહિતર અનુષ્ઠાન માત્ર ઠાલું અનુષ્ઠાન જ રહેશે. તે માત્ર ફાલતું ક્રિયા જ બની રહેશે. એવી ક્રિયાઓથી કઈ વિશેષ લાભ નહિ થાય. તમે લેકે સંસારના વ્યવહારમાં પણ વિધિનું પાલન કરે છે કે નહિ? વેપાર કરવા માટે લાયસન્સ લે છે કે નહિ? સેકસટેક્ષ નંબર લે છે કે નહિ? ઈન્કમટેક્ષનું ફોર્મ ભરે છે ને?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy