SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧ :૫ મારે ખાસ એ કહેવું છે કે તેઓ વ્યાખ્યાન હાલમાં મૌનપણે પ્રવેશ કરે. વાત કરતાં કરતાં ન આવે. મૌન ધારણ કરીને વ્યાખ્યાન સાંભળે. જતી વખતે પણ મૌન રાખે વાત કરતાં કરતાં જવાનું નહીં. શાન્તિથી, પૂર્ણ તિથી વ્યાખ્યાન સાભળે. તમારા નાનાં-નાનાં બાળકોને સાથે ન લાવે. જે બાળકે અહીં શાતિથી બેસી શકે એવાં ન હોય, તેવાં બાળકને સાથે ન લાવવા જોઈએ. વ્યાખ્યાન ચાલુ હોય અને એકદમ બાળકરવા માંડે ત્યારે વ્યાખ્યાનની ધારા તૂટી જાય છે. શ્રોતાઓનું ધ્યાન તૂટી જાય છે. બધા એ બાળકો તરફ જોવા માંડે છે.....વાતની મજા મારી જાય છે. આ “ધમબિંદુ' ગ્રંથમાં બહેને માટે પણ ઘણું ઉપયોગી વાતે બતાવવામાં આવી છે. હા, બહેનેની તમન્ના જોઈએ પિતાનાં જીવન સુધારવાની ! પણ “અમે તે સારાં જ છીએ...સુધરેલાં જ છીએ..ધાર્મિક છીએ...” આવું માનનારાઓને સુધારી શકાય નહિં. તમે લેકે સુધરેલા જ છે ને ? જરા તમારા અંતરાત્માને પૂછી જોજે. જે રોગી માણસ પિતાની જાતને નિરોગી માને, તેને નિગી ન બનાવી શકાય ! જો તમે તમારી જાતને સારી માનતા હશો તે હું તમને સારા નહીં બનાવી શકું ! તમને તમારી ભૂલનું, તમારા પાપનું ભાન હોવું જ જોઈએ. ભલે તમે અહીં સભામાં ઊભા થઈને તમારાં પાપે જાહેર ન કરે, પરંતુ તમને ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ છે જોઈએ તમારી ભૂલે ને ! તમારાં પાપને ! તમારી બુરાઈઓને ! તે આ ધર્મબિંદુ ગ્રન્થનું શ્રવણ તમારું અદભુત જીવનપરિવર્તન કરી શકશે. ગ્રંથકાર અને ટીકાકાર : આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થની રચના લોકાત્મક નથી કરી પરંતુ સુત્રાત્મક રચના કરી છે. જે રીતે મહાન આચાર્યદેવ શ્રી ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂવ”ની રચના કરી છે, તેવી રીતે હરિભદ્રસૂરિજીએ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy