SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પાચન-૭ સભામાંથી : બુદ્ધિ તે છે, પણ સૂક્ષમ બુદ્ધિ નથી. મહારાજશ્રી : બુદ્ધિ છે તે તે સૂમ પણ બનશે. તેને સુમ બનાવવા પુરૂષાર્થ કર પડશે. આથી જ કહું છું કે તર્કશાસ્ત્ર લિજિકો ભણે. પરંતુ ભણવાની ફુરસદ કયાં છે? પ્રયત્ન કર્યા વિના, પુરૂષાર્થ કર્યા વિના કાર્ય સિદ્ધિ કેવી રીતે થશે? સૂક્ષ્મબુદ્ધિ નિર્મળ જોઈએ? બીજી વાત પણ બરાબર ધ્યાનથી સાંભળી લે. જાણી લે બુદ્ધિ સૂમ થવા માત્રથી જ ધમતરવની યથાર્થતા અને સત્યતા સિદ્ધ નથી થઈ શકતી. બુદ્ધિ સૂક્ષમ થવી જોઈએ એ ખરું, પણ સાથોસાથ તે નિર્મળ પણ થવી જોઈએ. ધર્મ કઈ વાદવિવાદની વસ્તુ નથી. બુદ્ધિ નિર્મળ નથી તે ધર્મતત્વને નિર્ણય કરવાની જિજ્ઞાસા નથી થતી. તે સૂક્ષમ-તીક્ષણ બુદ્ધિ ધર્મક્ષેત્રમાં પણ વાદ-વિવાદ ઊભે કરી દે છે. આજ કેટલા અલગ અલગ પંથ અને સંપ્રદાય દેખાય છે? તે કયાંથી નીકળ્યા છે? બુદ્ધિશાળીઓની તે એ પિદાશ છે. સૂક્ષમ બુદ્ધિ જ્યારે દુરાગ્રહી બને છે, હઠાગ્રહી બને છે, ત્યારે ધર્મક્ષેત્રને તે વાદ-વિવાદનું ક્ષેત્ર બનાવી મૂકે છે. માણસના પિતાના જીવનમાં પણ તે અનિશ્ચિતતા અને ચંચળતા પેદા કરી દે છે. જૈન શ્રમણપરંપરામાં અન્ય ધર્મોના અધ્યયનની પરંપરા : આપણા જૈન શ્રમણ--પરંપરાના ઈતિહાસમાં તેનું એક બેડ ઉદાહરણ જોવા મળે છે, સિમ્બર્ષિગણિતું ! ભરજુવાનીમાં સિર્ષિ શ્રમણ બન્યા. કુશાગ્ર બુદ્ધિ હતી તેમની જૈન દર્શનનું અધ્યયન કર્યા બાદ તેમણે અન્ય ભારતીય દર્શનનું અધ્યયન કર્યું. જૈન પરંપરાની આ અસાધારણ વિશેષતા છે. જૈન સાધુ-સાધવી માત્ર જૈન પરંપરાના અને જૈન દર્શનના ગ્રજો જ વાંચે છે, ભણે છે એવું નથી. જેમની બુદ્ધિ કુશાગ્રતીક્ષણ હોય છે તેવા સાધુ-સાવીને ભારતના અન્ય ધર્મો અને દર્શનેના ગ્રન્થનું પણ અધ્યયન કરાવાય છે. તેઓ કરે પણ છે. આ ઘણી જ પ્રાચીન પરંપરા છે. આજે પણ આ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy